ગુજરાત કેડરના સસ્પેન્ડેડ IAS અધિકારી ગૌરવ દહિયા અને લીનું સિંઘ વચ્ચેના કેસ મામલે શનિવારે ગૌરવ દહિયાના વકીલે પત્રકાર પરિષદ યોજી લીનુ સિંઘના તમામ આક્ષેપો ખોટા પુરવાર થયા છે તેમ જણાવ્યું છે. જુલાઇ મહિનામાં ખોટી ફરિયાદ કરવામાં આવી હતી. આ ફરિયાદ પૈસા પડાવવા માટે કરાઇ હતી. ઉલ્લેખનીય છે કે દહિયા સામેના આરોપો ખોટા સાબિત થયા છે અને કોઈ પુરાવા ન મળતા દિલ્હી હાઈકોર્ટના રાહત આપતા આદેશની માહિતી VTVGujarati.com એ સૌપ્રથમ આપી હતી.
ગુજરાત કેડરના સસ્પેન્ડેડ IAS અધિકારી ગૌરવ દહિયા અને લીનું સિંઘ વચ્ચેના કેસ મામલે શનિવારે ગૌરવ દહિયાના વકીલે પત્રકાર પરિષદ યોજી લીનુ સિંઘના તમામ આક્ષેપો ખોટા પુરવાર થયા છે તેમ જણાવ્યું છે. જુલાઇ મહિનામાં ખોટી ફરિયાદ કરવામાં આવી હતી. આ ફરિયાદ પૈસા પડાવવા માટે કરાઇ હતી. ઉલ્લેખનીય છે કે દહિયા સામેના આરોપો ખોટા સાબિત થયા છે અને કોઈ પુરાવા ન મળતા દિલ્હી હાઈકોર્ટના રાહત આપતા આદેશની માહિતી VTVGujarati.com એ સૌપ્રથમ આપી હતી.
લીનુ સિંઘે પૈસા પડાવવા તરકટ રચ્યું : વકીલ
સસ્પેન્ડેડ IAS ગૌરવ દહિયા પર એક મહિલાએ આક્ષેપ કર્યા હતા. આ મામલે દિલ્લીમાં તપાસ ચાલી રહી છે. ત્યારે હવે આ મામલે ગૌરવ દહિયાના વકીલે નિવેદન આપ્યુ છે કે, લિનું સિંઘના તમામ આક્ષેપો ખોટા પુરવાર થયા છે. જુલાઈ 2019એ ખોટી ફરિયાદ કરી હતી.
લીનુ સિંઘે પૈસા પડાવવા માટે ફરિયાદ કરી હતી. 20 કરોડ રૂપિયા અને દિલ્લીમાં મકાનની ડિમાન્ડ પૂરી ન થતા ષડ્યંત્ર રચ્યું હતુ. આક્ષેપોને લઈને ગૌરવ દહિયા દબાણમાં હતા. તેમણે જણાવ્યું હતું કે વર્ષ 2015માં લિનુ સિંઘના લગ્ન થઈ ચૂક્યાં હતા. ગાઝિયાબાદથી લીનુ સિંઘના મેરેજ ડોક્યુમેન્ટ પણ મળ્યા છે. લીનુ સિંઘ નેપાળ ગયાનુ પોલીસ તપાસમાં સામે આવ્યુ છે.
દહિયાને દિલ્હી હાઈકોર્ટથી મળી રાહત
ગૌરવ દહિયા અને લીનુ સિંઘ વચ્ચેના કેસમાં 15 જુલાઈ 2020ના રોજ દિલ્હી હાઈકોર્ટે આદેશ આપ્યો હતો જેનાથી કેસમાં નવો વળાંક આવ્યો છે. દિલ્હી હાઈકોર્ટે લીનુ સિંઘ સામે લાલ આંખ કરીને પ્રીમા ફાસી એટલે કે હાલના તબક્કે ગૌરવ દહિયાને મોટી રાહત આપી હતી. આ ઉપરાંત અદાલતે લીનુ સિંઘ અથવા તેમના સાથીઓ દ્વારા ફેલાવવામાં આવેલા અને ગૂગલ, ફેસબુક, ટ્વીટર જેવી વેબસાઈટ ઉપર ગૌરવ દહિયાને લગતા અને આ કેસને લગતા લખાણો, પોસ્ટ્સ અને કોઈ પણ પ્રકારના સાહિત્યને દૂર કરીને અથવા તે કન્ટેન્ટને બ્લોક કરી દેવાની સૂચના આપી છે.
સૌપ્રથમ VTVGujarati.comએ આપી હતી ખબર
ગૌરવ દહિયાને દિલ્હી હાઈકોર્ટ તરફથી રાહત મળ્યાની સૌપ્રથમ ખબર VTVGujarati.com એ આપી હતી. જેને લઈને આજે દહિયાના વકીલે પ્રેસ કોન્ફરન્સ કરીને મીડિયાને માહિતી આપી હતી.
દિલ્હીમાં દહિયાએ દાખલ કરી હતી FIR
એક વર્ષ પહેલા ગુજરાત કેડરના સસ્પેન્ડેડ IAS ગૌરવ દહિયાએ દિલ્હીમાં માલવીયનગર પોલીસમાં કથિત પૂર્વ પત્ની લીનુ સિંઘ અને કુલદીપ દિનકર સામે 28 જૂનના રોજ પોલીસ ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદ મુજબ તેની કથિત પૂર્વ પત્ની લીનુસિંહે 2015માં કુલદીપ દિનકર નામના વ્યક્તિ સાથે લગ્ન કરી લીધા હતા. ત્યાર બાદ આ બન્નેએ ભેગા મળી ગૌરવ દહિયાને ફસાવી અને પૈસા પડાવવા માટે કાવતરું ઘડ્યું હતું. દિલ્હી પોલીસની તપાસના તથ્યો બાદ દહીયાએ પોલીસ ફરીયાદ નોંધાવી હતી. જોકે ગૌરવ દહિયા અને લીનુસિંહ વચ્ચેના કથિત પ્રેમ સંબંધોના વિવાદ પાછળનું કારણ શું છે તે તો તપાસ બાદ જ બહાર આવી શકશે.