ગૌરવ દહિયા સામે કરવામાં આવેલા તમામ આરોપો ખોટા અને પાયાવિહોણા સાબિત થયા છે ત્યારે કથિત પ્રેમ પ્રકરણ મામલે ગૌરવ દહિયાને ક્લીનચીટ આપવામાં આવી છે. દિલ્હીની લિનુ સિંહ નામની મહિલાએ ગૌરવ દહિયા સામે લગ્ન કરવાની લાલચ આપી છેતરપિંડી કરી હોવાના આક્ષેપ કર્યા હતા.
કથિત પ્રેમ પ્રકરણ મામલે ગૌરવ દહિયાને ક્લીનચીટ
મહિલાએ નોંધાવી હતી ફરિયાદ
ફેસબુકથી મળ્યા હતા, અને એક સંતાન પણ હોવાના આક્ષેપ
દિલ્હી પોલીસે ગૌરવ દહિયાને ક્લીનચીટ આપી છે. તપાસમાં તમામ આક્ષેપ પાયાવિહોણા હોવાનું સામે આવ્યું છે. પીડિત મહિલાએ કરેલા આક્ષેપ પાયાવિહોણા સાબિત થયા છે. પીડિત મહિલા પહેલાથી જ પરણેલી હોવાનું સામે આવ્યું છે. ખાનગી કંપનીમાં કામ કરતા વ્યક્તિ સાથે લગ્ન કર્યા હતા. જન્મેલી બાળકી પણ ગૌરવ દહિયાની ન હોવાનો ખુલાસો થયો છે. દહિયાએ તપાસમાં આવેલ પુરાવા રાજ્ય સરકારને સોંપ્યા છે.
મહિલાએ નોંધાવી હતી ફરિયાદ
ગુજરાતના IAS અધિકારી ગૌરવ દહિયા સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. જેમાં દિલ્હીની લિનુ સિંહ નામની મહિલાએ ગૌરવ દહિયા સામે લગ્ન કરવાની લાલચ આપી છેતરપિંડી કરી હોવાની તેમજ મારી સાથે શારિરીક શોષણ કર્યું હોવાનો આરોપ લગાવ્યો છે. અને આ બીજા લગ્નથી મહિલાને એક બાળકી હોવાનું પણ સામે આવ્યુ હતુ.
IAS અધિકારી ગૌરવ દહિયાએ પણ મહિલા વિરૂદ્ધ બ્લેકમેલની અરજી કરી હતી
આ અંગે IAS અધિકારી ગૌરવ દહિયાએ પણ ગાંધીનગર ખાતે મહિલા વિરૂદ્ધ બ્લેકમેલની અરજી કરી છે. અને મહિલા દ્વારા કરવામાં આવેલા વાયરલ ફોટા ખોટા છે, મહિલાએ ફોટા વાયરલ કરીને મારી પાસે રૂપિયાની માગણી કરી છે. બ્લેકમેલ કરીને મહિલા મારી પાસે રૂપિયા પડાવી રહી છે. આ મહિલાનું નામ લીનું સિંઘ છે અને તેમણે પાયા વિહોણા આક્ષેપ કર્યા છે.
2017માં બંને કર્યા હતા લગ્ન
મહિલા દ્વારા દાવો કરવામાં આવ્યો છે, કે ગૌરવ દહિયાએ સાથે તેની મુલાકાત વર્ષ 2017માં સોશિયલ મીડિયા સાઇટ ફેસબુકના માધ્યમથી થઇ હતી. ત્યારબાદ બંન્ને દિલ્હીની શાગીલા હોટલમાં મળ્યા હતા. મહિલાએ આરોપ લગાવ્યો કે, ગૌરવ દહીયા પરણિત હોવા છતાં મારી સાથે સબંધ બાંધ્યા હતા. આ મામલે દિલ્હી પીડિત મહિલાએ ફરિયાદ કર્યા બાદ આઈએએસ અધિકારી ગૌરવ દહિયા આખી રાત પોતા ગાંધીનગર સ્થિત સરકારી નિવાસ સ્થાન ન આવ્યા. અધિકારી ગાંધીનગરથી ગુમ થયા હોવાની ચર્ચાઓ પણ છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ બનાવી છે તપાસ સમિતિ
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતના IAS અધિકારી ગૌરવ દહિયા વિરૂધ્ધ લગ્ન બાબતમાં છેતરપીંડી, વિશ્વાસઘાત તથા ધમકીઓ આપવા અંગેની ફરિયાદ અંગે તલસ્પર્શી તપાસ માટે ત્રણ IAS અધિકારીઓ સમેત પાંચ સભ્યોની તપાસ સમિતી નિમવાનો નિર્ણય કર્યો હોત. આ તપાસ સમિતિને પોતાનો અહેવાલ સત્વરે રજૂ કરવા પણ સૂચનાઓ આપવામાં આવી છે.
મુખ્યમંત્રીના આ નિર્ણય અનુસાર જે તપાસ સમિતિની રચના કરવામાં આવી છે તેમાં અધ્યક્ષા તરીકે અગ્ર સચિવ સુનયના તોમર રહેશે. તપાસ સમિતિના અન્ય સભ્યોમાં મમતા વર્મા- IAS, સોનલ મિશ્રા – IAS તથા બિનસરકારી સભ્ય તરીકે નિવૃત્ત સંયુકત સચિવ દેવીબહેન પંડયા અને સભ્ય સચિવ તરીકે નાયબ – સંયુકત કે અધિક સચિવ કક્ષાના અધિકારી હતા. ગૌરવ દહિયા નેશનલ હેલ્થ મિશનના મિશન ડાયરેકટર તરીકે ફરજરત હતા તે દરમ્યાન તેમની સામે આક્ષેપો થતાં રાજ્ય સરકારે તાત્કાલિક અસરથી 22 જુલાઇએ તેમની બદલી કરીને તેમને સંયુકત સચિવ સામાન્ય વહીવટ વિભાગમાં મૂક્યા હતા.