સુપ્રીમ કોર્ટે ભાજપના પૂર્વ નેતા નુપૂર શર્માને મોટી રાહત આપતા તેમની ધરપકડ પર 10 ઓગસ્ટ સુધીનો સ્ટે મૂકી દીધો છે
પયગંબર વિવાદમાંભાજપના પૂર્વ નેતા નુપૂર શર્માને મોટી રાહત
સુપ્રીમે 10 ઓગસ્ટ સુધી ધરપકડ પર મૂક્યો સ્ટે
નુપૂર શર્માએ ધરપકડમાંથી મુક્તિની કરી હતી અરજી
સુપ્રીમ હવે 10 ઓગસ્ટે આ કેસની વધુ સુનાવણી કરશે
પયંગબર પર વિવાદિત નિવેદન આપનાર ભાજપના પૂર્વ નેતા નુપૂર શર્માએ પોતાની ધરપકડ પર સ્ટે મૂકવાની સુપ્રીમમાં અરજી કરી હતી. સુપ્રીમમાં આજે નુપૂર શર્મા કેસની સુનાવણી ચાલી હતી અને કોર્ટે તેમને વચગાળાની રાહત આપતા 10 ઓગસ્ટ સુધી તેમની ધરપકડ પર સ્ટે મૂકી દીધો છે. સુપ્રીમની ખંડપીઠે એવું કહ્યું કે 10 ઓગસ્ટે આ કેસની વધારે સુનાવણી થશે.
No coercive action be taken against Nupur Sharma, says SC, and fixes her plea for further hearing on August 10
નુપુર શર્મા પર જાનના જોખમની વાત સ્વીકારી સુપ્રીમ કોર્ટે
સુપ્રીમની ખંડપીઠે એવું કહ્યું કે નુપુર શર્મા રાહત માટે એક કોર્ટથી બીજી કોર્ટના ધક્કા ખાય તેવી અમારી કોઈ ઈચ્છા નથી. તે ઉપરાંત તેમની પર જીવનું જોખમ પણ છે વાત પણ કોર્ટ સ્વીકારે છે.
નુપૂર શર્માએ સુપ્રીમમાં 3 માગ કરી હતી
નુપૂર શર્માએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરીને 3 માગ કરી હતી. તેમની 3 માગમાં પાછી ખેંચવામાં આવેલી અરજી પર સુનાવણી, ધરપકડમાંથી મુક્તિ તથા પોતાની સામે નોંધાયેલી બધી અરજીઓ એકીસાથે ભેગી કરવી સામેલ છે.
Sharma seeks revival of her withdrawn petition, protection from arrest, and clubbing of FIRs lodged in several states over her remarks
સુપ્રીમે કેન્દ્ર અને રાજ્ય સરકારને પાઠવી નોટીસ
સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારોને (જ્યાં પણ એફઆઈઆર દાખલ કરવામાં આવે છે) ને પણ નોટિસ ફટકારી છે.
જાનથી મારી નાખવાની સતત ધમકીઓ મળી રહી છે- નુપૂર શર્માએ સુપ્રીમને કહ્યું
કોર્ટમાં નૂપુર શર્માના વકીલે કહ્યું કે, નૂપુરને સતત ધમકીઓ મળી રહી છે. પૈગંબર મોહમ્મદ વિશે ટિપ્પણી માટે અલગ અલગ રાજ્યોમાં 9 એફઆઈઆરનો સામનો કરી રહેલા નૂપુર શર્માએ સુપ્રીમ કોર્ટમાં નવી અરજી દાખલ કરી હતી. તેની સુનાવણી મંગળવારે થઈ હતી. પોતાની અરજીમાં નુપરે કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટના અવલોકનો (છેલ્લી સુનાવણી) બાદ તેમના જીવને જોખમ વધી ગયું છે. નૂપુરે કોર્ટમાંથી ધરપકડ પર રોક લગાવવાની સાથે સાથે તમામ એફઆઈઆરને દિલ્હી ટ્રાન્સફર કરવાની પણ માંગ કરી હતી અને તેની સુનાવણી એક સાથે કરવામાં આવે.
ભાજપના પૂર્વ નેતા નુપૂર શર્માએ ઈસ્લામના સ્થાપક મોહમ્મદ પયગંબર પર કરી હતી વિવાદીત ટીપ્પણી
ઉલ્લેખનીય છે કે ભાજપના પૂર્વ નેતા નુપૂર શર્માએ ઈસ્લામના સ્થાપક મોહમ્મદ પયગંબર પર વિવાદીત ટીપ્પણી કરીને મોટો વિવાદ ઊભો કર્યો હતો જે પછી દેશમાં અનેક ઠેકાણે તેમના નિવેદનની વિરુદ્ધમાં હિંસા ફાટી નીકળી હતી અને તેમની ધરપકડની માગ થવા લાગી હતી. નુપૂર શર્માને જાનથી મારી નાખવાની પણ ધમકીઓ મળી રહી છે અને દેશમાં ઘણે ઠેકાણે તેમની વિરૃદ્ધ ફરિયાદ દાખલ કરાઈ હતી.