મહારાષ્ટ્રમાં કોરોના વાયરસગ્રસ્ત દર્દીઓની સંખ્યા 31 થઈ ગઈ છે. ત્યારે અડધી રાતે 5 નવા કોરોનાના પોઝિટિવ કેસ સામે આવ્યાં છે. આ દરમિયાન મહારાષ્ટ્રના બુલઢાણામાં કોરોના વાયરસના એક શંકાસ્પદ દર્દીનું મોત નિપજ્યું છે.
કર્ણાટક અને દિલ્હીમાં થયા હતા બે મોત
હાલમાં સાઉદી અરબથી પરત ફર્યો હતો
બુલઢાણા જિલ્લાની હોસ્પિટલમાં દર્દીનું મોત
હાલમાં સાઉદી અરબથી પરત ફર્યો હતો
એક સમાચાર એજન્સીમાં જણાવ્યાનુંસાર શનિવારે બપોરે 71 વર્ષના એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતુ. આ વ્યક્તિ હાલમાં સાઉદી અરબથી પરત ફર્યો હતો. ડૉક્ટરને શંકા છે કે કોરોના વાયરસગ્રસ્ત હતો. તેના સેમ્પલની તપાસ કરવામાં આવી રહી છે.
બુલઢાણા જિલ્લાની હોસ્પિટલમાં દર્દીનું મોત
બુલઢાણા જિલ્લા હોસ્પિટલે કહ્યું છે કે સારવાર દરમિયાન આ વ્યક્તિની મોત થઈ છે. મૃતક વ્યક્તિને ડાયબિટીસ અને હાઈ બ્લડપ્રેશર છે. જોકે મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેએ કહ્યું છે કે હજું સુધી એ સ્પષ્ટ નથી થઈ શક્યું કે આ વ્યક્તિની મોત કોરોના વાયરસથી થઈ છે.
કર્ણાટક અને દિલ્હીમાં થયા હતા બે મોત
ઉલ્લેખનીય છે કે દિલ્હી અને કર્ણાટકમાં એક એક વ્યક્તિઓના મોત નિપજ્યાં છે. તેમજ મહારાષ્ટ્રમાં નવા 5 કેસ નોંધાયા તેની સંખ્યા 31 થઈ ગઈ છે. જેમાં 3 મહિલા અને 2 પુરુષો છે. 5માંથી 4 લોકો દુબઈ ગયેલા લોકોના સંપર્કમાં આવતા તેઓ બીમારીની ઝપેટમાં આવ્યા હતા. જ્યારે કે 5મી વ્યક્તિ થાઈલેન્ડ ગઈ હતી અને તેની ઉંમર 21 વર્ષની હતી.