દેશમાં ચાલી રહેલી વિરોધી પ્રવૃત્તિઓને અટકાવવા NIA-ATS ટીમનું દેશના 6 રાજ્યોમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.
શાહપુર અને દરિયાપુરમાં NIA અને ATSનું સર્ચ
શાહપુરની નંદનવન સોસાયટી ભાગ 2માં સર્ચ
ઈમદાદઉલ્લા અને અબ્દુલ સત્તાર શેખની અટકાયત
દેશમાં 15 ઓગસ્ટ નજીક આવી રહી છે ત્યારે દેશભરમાં દેશ વિરોધી ચાલતી ગતિવિધિઓ પર સતત નજર રાખવામાં આવતી હોય છે. ત્યારે દેશભરના 6 રાજ્યોમાં NIAની ટીમે દરોડા પાડ્યા છે. ત્યારે આજે ગુજરાતના 4 મોટા શહેરોમાં NIA-ATSની ટીમે ધામા નાખ્યા છે.
શાહપુર-દરિયાપુરમાં NIA અને ATSનું સર્ચ ઓપરેશન
જેમાં અમદાવાદ, સુરત, ભરૂચ અને નવસારીમાં NIA અને ATSની ટીમે સપાટો બોલાવ્યો છે. ત્યારે અમદાવાદના શાહપુર અને દરિયાપુર વિસ્તારમાં NIA અને ATSનું સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું. જેમાં શાહપુરની નંદનવન સોસાયટી ભાગ 2માં સર્ચ ઓપરેશન હાથ ધરતા ઈમદાદઉલ્લા અને અબ્દુલ સત્તાર શેખ નામના શખ્સોની અટકાયત કરવામાં આવી છે. શંકાના આધારે વહેલી સવારે બન્ને પિતા-પુત્રની અટકાયત કરાઇ છે.
અમદાવાદ, સુરત અને ભરૂચમાંથી ફંડિંગ થયું
નોંધનીય છે કે, 2021માં ઝડપાયેલા આતંકીઓનું કનેક્શન છેક ગુજરાત સુધી પહોચ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. અમદાવાદ, સુરત અને ભરૂચમાંથી ફંડિંગ થયું હોવાનું જાણવા મળી રહ્યું છે. કર્ણાટકમાંથી ઝડપાયેલા આરોપીઓની પૂછપરછમાં આ ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. હાલમાં આ આતંકી ષડયંત્રને લઈને એજન્સીઓની તપાસ તેજ થઇ ગઇ છે. જો કે, આ સર્ચ ઓપરેશનમાં અનેક ખુલાસાઓ થવાની શક્યતા સેવાઇ રહી છે.