બોલિવૂડ એક્ટ્રેસ સુષ્મિતા સેન સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. સુષ્મિતા અવારનવાર તેના બોયફ્રેન્ડ અને દીકરીઓ સાથે સોશિયલ મીડિયા પર તસવીરો અને વીડિયોશેર કરતી રહે છે. હાલમાં જ સુષ્મિતાએ પોતાની યુટ્યૂબ ચેનલ પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં તેણે પોતાની બીમારી વિશે જણાવ્યું છે.
સુષ્મિતા સેન લોકડાઉનમાં સોશિયલ મીડિયા પર વધુ એક્ટિવ થઈ ગઈ છે
આ વીડિયોમાં સુષ્મિતા ખૂબ જ સ્ફૂર્તિથી નાનચાકુ ફેરવતા જોવા મળી રહી છે. તમને જણાવી દઈએ કે નાનચાકુ એક પ્રકારની કરાટે કિટ છે. જેને યોગ્ય રીતે ફેરવવા માટે ટ્રેનિંગ અને પ્રેક્ટિસની જરૂર પડે છે. વીડિયો શેર કરીને સુષ્મિતાએ લખ્યું- સપ્ટેમ્બર 2014માં મને ખબર પડી કે હું એક પ્રકારની ઓટો ઈમ્યૂન કંડિશન એડિસન બીમારીથી પીડાઉં છું. મને એવું લાગ્યું કે મારી પાસે હવે લડવા માટે કંઈ જ નથી. એક શુષ્ક શરીર જેમાં માત્રા નિરાશાઅને આક્રમકતા છે. મારી આંખો નીચે થયેલા ડાર્ક સર્કલ્સ ચાર વર્ષની મારી લડાઈની વ્યાખ્યા નહીં આપી શકે.
સુષ્મિતાએ આગળ કહ્યું, કોર્ટિસલના વિકલ્પે સ્ટીરોઈડ લેવું અને તેની આડઅસરો સાથે જીવવાની હદ પાર થઈ ગઈ હતી. બીમારી સાથે જીવવાનો એહસાસ થકવી દેનારો હોય છે. આ હદથી વધારે હતું. મારે મારા મનને મજબૂત કરવા માટેની રીત શોધવાની હતી. મેં નાનચાકુ સાથે મેડિટેશન કર્યું. આક્રમકતા નીકળી ગઈ અને પીડા સાથે લડવું એક કળા બની ગઈ. સમયની સાથે બધું જ ઠીક થઈ ગયું. મારી એડ્રેનલ ગ્રંથિઓ ફરીથી જાગૃત થઈ ગઈ. હવે કોઈ સ્ટીરોઈડ નહીં. 2019 પછી મારી ઓટો ઈમ્યૂન કંડીશન ખતમ થઈ ગઈ છે.
આના પરથી શીખવા મળે છે કે તમારા શરીરને તમારાથી વધુ સારી રીતે કોઈ નથી જાણતું. તેને સાંભળો. દરેકની અંદર એક યોદ્ધા રહેલો છે, ક્યારેય હાર ના માનો. આ સાથે જ સુષ્મિતાએ નાનચાકુ શીખવવા માટે તેના ગુરુ નૂપુર શિખારેનો આભાર માન્યો હતો.
2014માં સુષ્મિતા એડિસન ડિસીઝનો શિકાર બની હતી. આ બીમારીમાં શરીરમાં હોર્મોન્સ બનવાના બંધ થઈ જાય છે. જેમાંકિડની પર આવેલા એડ્રેનલ ગ્લાન્ડ્સ ખૂબ ઓછાં પ્રમાણમાં કોર્ટિસલ અને એલ્ડોસ્ટેરો નામના હોર્મોન્સ રિલીઝ કરે છે. આ બંને હોર્મોન્સ શરીર માટે ખૂબ જરૂરી છે.