ભાજપના દિગ્ગજ નેતા અને પૂર્વ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજનું મંગળવારે રાત્રે નિધન થયું છે. છાતીમાં દુઃખાવો થતા તેમને દિલ્હીના એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા.
વિદિશાથી સાંસદ રહી ચૂકેલા સુષ્મા સ્વરાજે 2019ની લોકસબા ચૂંટણી ન લડવાનો નિર્ણય કર્યો હતો અને જેના માટે તેમણે સ્વાસ્થ્યનું કારણ આપ્યું હતું. તેમના આ નિર્ણયથી તેમના પ્રશંસક દુઃખી હતા તો કેટલાક તેમના સ્વાસ્થ્યને લઇને ચિંતા પણ વ્યક્ત કરતા હતા. ત્યારે, વારંવાર તેમના કથળતા સ્વાસ્થ્યને લઇને ખબરો ફરતી થઇ રહી હતી અને કોઇ એવો સમય પણ આવ્યો કે જ્યારે પૂર્વ વિદેશ મંત્રી સુષમાએ આગળ આવીને તેનું ખંડન કર્યું. આવો તમને સુષ્માના કેટલાક એવા ટ્વીટ્સ દેખાડીએ જેમાં એ જાણ થાય છે કે તેઓ કેટલા વિનમ્ર અને હાજરજવાબી હતા.
છેલ્લા કેટલાક મહિનામાં જુલાઇથી શરૂઆતમાં તેમના ખરાબ સ્વાસ્થ્યની અફવાઓ ફરતી થઇ હતી ત્યારે તેમના શુભચિંતકોએ ટ્વિટર પર ચિંતા વ્યક્ત કરી. જેમાં એકે લખ્યું હતું કે, તમે જલ્દી સાજા થઇ જાઓ. અમે સૌ તમારી સાથે છીએ. સુષ્માએ રાહ જોવા વગર રિપ્લાઇ કર્યો, તમે ચિંતા ન કરો. હું બિલકુલ ઠીક છું.
સુષ્માની નજરે તે દિવસ એવા જ કેટલાક ટ્વિટ પર ગઇ જ્યાર બાદ તેમણે એક ટ્વિટ કરીને સૌને ચુપ કરી દીધા. આજનું ટ્વીટ્સ જોઇને એવું લાગે છે કે જાણે મારા અસ્વસ્થ થવાની અફવાઓ ચાલી રહી છે. હું તમામ શુભચિંતકોને જણાવવા માંગુ છું કે કૃપા કરીને ચિંતા ન કરો. હું બિલકુલ ઠીક છું.
आज के ट्वीट्स देख कर ऐसा लगता है की जैसे मेरे अस्वस्थ होने की अफवाह चल रही है। मैं सभी शुभचिंतकों को बताना चाहती हूँ की कृपया चिंता न करें। मैं बिलकुल ठीक हूँ।
એક સમયે દિલ્હીના પૂર્વ સીએમ શીલા દીક્ષિતના નિધન પર સુષ્મા સ્વરાજને સંવેદના વ્યક્ત કરી તો એક વ્યક્તિએ ટ્વીટ કરીને નાખ્યું કે, તમારી પણ ખુબ યાદ આવશે એક દિવસ શીલા દીક્ષિતની જેમ અમ્મા. આ વ્યક્તિએ ટ્વીટ પર જ્યારે કેટલાક લોકોને આડે હાથ લીધા, ત્યારે સુષ્માએ સંયમ જાળવીને જવાબ આપ્યા. તેમણે લખ્યું કે, આ ભાવના માટે તમને મારા ખુબ ધન્યવાદ.
મંગળવારે પણ સુષ્માના ખરાબ સ્વાસ્થ્ય અને ફરી નિધનના સમાચાર આવ્યા. તેવામાં કેટલાક પ્રશંસકો હતા જે આ સમાચાર ખોટા હોવાની વાત કરી રહ્યા હતા અને લાગ્યું કે તેમને વ્હાલી સુષ્મા ફરી ટ્વીટ કરીને ખબરનું ખંડન કરી દેશે, પરંતુ આ વખતે રાજકીય આ સિતારો અસ્ત થયો, ફરી નહીં ઉઠે. હંમેશા માટે પોતાના, મિત્રો અને પ્રશંસકોને રડતા છોડીને અનંતમાં જઇ સમાયા...