ઈસ્લામિક સહયોગ સંગઠન દ્વારા ભારતને આમંત્રણ પાઠવામાં આવતા પાકિસ્તાને નારાજગી વ્યક્ત કરી છે. બંને દેશ વચ્ચે તણાવભરી સ્થિત વચ્ચે પાકિસ્તાન વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરેશીએ ધમકી આપતા કહ્યું કે, ભારતના વિદેશ મંત્રી સુષમા સ્વરાજ જો આ બેઠકમાં સામેલ થશે તો તેઓ OICની બેઠકનો બહિષ્કાર કરશે.
સુષમા સ્વરાજ 1લી અને 2જી માર્ચે અબૂધાબીમાં યોજાનારી ઈસ્લામિક દેશોના વિદેશ મંત્રીઓના સંમેલનના ઉદ્ઘાટન સત્રમાં વિશિષ્ટ અતિથિ તરીકે આમંત્રિત કરવામાં આવ્યા છે. કુરેશીએ કહ્યું કે, તેમને OICથી વાંધો નથી પણ અન્ય ઈસ્લામિક દેશને લઈને છે.
અમને ભારતીય વિદેશ મંત્રી સુષમા સ્વરાજને લઈને વાંધો નથી પણ જો સુષમા સ્વરાજ બેઠકમાં સામેલ થશે તો તેઓ આ બેઠકનો બહિષ્કાર કરશે. અમારી સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ અને તુર્કીના વિદેશ મંત્રી સાથે પણ ફોન પર વાત થઈ છે.
તુર્કીના વિદેશ મંત્રીએ કહ્યું કે આ બેઠકમાં ભારતીય વિદેશ મંત્રી સુષમા સ્વરાજના સામેલ થાય તેવી કોઈ આશા નથી અને તુર્કી તેમને આમંત્રણ પાઠવવાનો અને તેમને સભામાં બોલવાની તક આપવાનો વિરોધ કરશે.