નવી દિલ્હીઃ પાકિસ્તાને ફરી એક વાર કાશ્મીરનો રાગ છેડ્યો છે. UN મહાસચિવ સામે પાકિસ્તાને કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો છે. પાકિસ્તાન આર્મી ચીફ જનરલ કમર જાવેદ બાજવાએ એવું પણ કહ્યું કે પાકિસ્તાનમાં આતંકવાદ સંગઠન નથી. ત્યારે જનરલ કમર બાજવાના આ નિવેદન પર USએ કડક વલણ દાખવ્યું.
પાકિસ્તાનને કડક શબ્દોમાં USએ સંદેશ આપ્યો કે પાકિસ્તાને પહેલાં આતંકવાદને ખતમ કરવો પડશે. ઉલ્લેખનીય છે કે UN મહાસભામાં આજે ભારતીય વિદેશ મંત્રી સુષમા સ્વરાજનું સંબોધન છે ત્યારે સુષમા સ્વરાજ આ નિવેદન પર પ્રતિક્રિયા આપી શકે છે.
આ બેઠકમાં એક તો સુષમાએ આતંકવાદને લઇને પરોક્ષરીતે પાકિસ્તાનને નિશાને લીધું ત્યારે પાડોશી દેશના વિદેશ મંત્રી કુરૈશી સાથે વાતચીત ન થયા તે માટે સાવધાની રાખી. જણાવી દઇએ કે રાષ્ટ્ર મહાસભાનું 73મું સત્ર ચાલી રહ્યું છે.
શનિવારે આ સત્રમાં ભારત અને પાકિસ્તાન બન્નેનું સંબોધન થનાર છે. અમેરિકી સમયાનુસાર સવારે સત્રમાં જ બન્ને પાડોસી પરંતુ પરંપરાગતરીતે પ્રતિસ્પર્ધી દેશોનું સંબોધન થશે.