નવી દિલ્હીઃ ઈરાકના મોસુલમાં લાપતા થયેલા 39 ભારતીયની હત્યા કરી દેવામાં આવી છે. આ ખુલાસો ખુદ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે કર્યો છે. સુષ્મા સ્વરાજે સંસદમાં આ અંગે નિવેદન આપ્યું હતું.
તેમણે જણાવ્યું કે 2014માં ભારતથી મોસૂલમાં કામ કરવા ગયેલા મજૂરોને આતંકવાદીઓએ અપહરણ કરી ગયા હતા. મોસુલમાં જે 39 ભારતીય લાપતા થયા હતા. તે તમામ લોકોએ ભાગવાનો પ્રયત્ન કર્યો તો ISISના આતંકવાદીઓએ તેમને મોતને ઘાટ ઉતાર્યા હતા.
સુષ્મા સ્વરાજે કહ્યું કે ISISએ તમામ 39 ભારતીયોની હત્યા કરી દીધી હતી. તમામ મૃતદેહને બગદાદ મોકલી દીધા હતા. જોકે DNA સેમ્પલ દ્વારા મૃતદેહોની તપાસ કરવામાં આવી હતી. જેમાં આ સત્ય સામે આવ્યું છે.
વધુમાં તેમણે કહ્યું કે હરજીત મસીહની વાત ખોટી હતી. મહત્વનું છે કે હરજીત મસીહ ભારત પરત ફર્યો હતો. ત્યારે જણાવ્યું હતું કે તે ISISના ચંગુલમાંથી બચીને ભાગી નીકળ્યો હતો. મોસુલમાંથી જે 39 મૃતદેહ મળ્યા છે. તેમાંથી 38ની ઓળખ થઈ ગઈ છે.
સુષ્મા સ્વરાજે જણાવ્યું કે પહાડ ખોદીને તમામ મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા છે. વી.કે. સિંહ ઈરાક જશે અને તમામ મૃતદેહને પરત લાવવામાં આવશે. સૌ પ્રથમ જહાજ અમૃતસર જશે ત્યારબાદ પટના પશ્ચિમ બંગાળ જશે.