ભાજપના દિગ્ગજ લાલ કૃષ્ણ અડવાણી પર કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના નિવેદને જોર પકડયું છે. જેને લઈને વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે રાહુલ પર પ્રહારો કર્યા હતા.
ભાજપના દિગ્ગજ લાલ કૃષ્ણ અડવાણી પર કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના નિવેદને જોર પકડયું છે. જેને લઈને વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે રાહુલ પર પ્રહારો કર્યા હતા. સુષમાએ કહ્યું હતું કે, રાહુલના નિવેદનો એ અમને આહત કર્યા છે, તેમણે ભાષાની મર્યાદાનું ધ્યાન રાખવું જોઇએ. રાહુલે શુક્રવારે મહારાષ્ટ્રના ચંદ્રપુરની રેલીમાં મોદીજી પર કટાક્ષ કરતા કહ્યું હતું કે, પોતાના ગુરૂ અડવાણીને જૂતા મારીને સ્ટેજ પરથી ઉતારી દીધા છે. આ મામલે રાજકીય ગરમાવો પકડાયો છે અને નિવેદન બાજી શરૂ થઈ છે.
સુષ્મા સ્વરાજનું ટ્વીટ
રાહુલને ભાષાની મર્યાદા બનાવી રાખવાની નસીહત આપતા સુષ્મા સ્વરાજે ટ્વીટ કર્યું કે, રાહુલજી... અડવાણીજી અમારા પિતાતુલ્ય છે. તમારા નિવેદને અમને ખૂબ જ દુઃખી કરે છે. તો તમે મહેરબાની કરીને ભાષાની મર્યાદા રાખવાની કોશિશ કરો. આમ રાહુલ ગાંધીને અડવાણી સામે કરેલી ટિપ્પણીનો જવાબ આપ્યો હતો. રાહુલ ગાંધી પર પ્રહાર કર્યા હતા.
રાહુલ ગાંધીનું નિવેદન
આ પહેલા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ શુક્રવારના રોજ ચંદ્રપુરની રેલીમાં કહ્યું હતું કે, હિન્દુ ધર્મમાં સૌથી જરૂરી હોય છે ગુરૂ. ગુરૂ-શિષ્યના સંબંધો હોય છે ને. મોદીજીના ગુરૂ કોણ છે. અડવાણીજી. શિષ્ય ગુરૂની સામે હાથ પણ નથી જોડતા. સ્ટેજ પરથી ઉઠાવીને ફેંકી દીધા નીચે ગુરૂને. જૂતા મારીને અડવાણીજીને સ્ટેજ પરથી ઉતાર્યા અને હિન્દુ ધર્મની વાતો કરે છે. હિન્દુ ધર્મમાં ક્યાં લખ્યું છે કે લોકોને મારવા જોઇએ. તમે સાંભળ્યું, હું પ્રેમથી બોલું છું, નફરત મારા ભાષણમાં સંભળાશે નહીં. હિન્દુ ધર્મમાં સૌથી મોટી વસ્તુ શું હોય છે? ગુરૂ-શિષ્યનો સંબંધ. તમે બતાવો, તેનાથી મોટી બીજી કોઇ ચીજ છે? અડવાણીજીની આજે શું સ્થિતિ છે? અડવાણીજી નરેન્દ્ર મોદીના ગુરૂ છે. સ્ટેજથી ઉઠાવીને ફેંકી દીધા. નમસ્તે સુદ્ધાં કરતાં નથી, મેં જોયું છે મારી આંખોથી. આ પછી ધર્મની વાતો કરે છે.
તેમણે કહ્યું કે 2019ની ચૂંટણી વિચારધારાઓની લડાઇ છે. કોંગ્રેસની વિચારધારા ભાઇચારા, પ્રેમ મોદીની નફરત, ક્રોધ અને વિભાજનકારી વિચારધારા પર જીત મેળવશે.
આ બધા નિવેદનો અને વિવાદ વચ્ચે અડવાણીએ પોતાની પ્રતિક્રિયા પણ આપી હતી. ભાજપના સ્થાપના દિવસના બે દિવસ પહેલાં લાલ કૃષ્ણ અડવાણીએ લખ્યું હતું કે, ભાજપે ક્યારેય પોતાના રાજનૈતિક વિરોધીઓને દુશ્મન કે દેશદ્રોહી માન્યા નથી. પોતાની પરંપરાગત બેઠક ગાંધીનગર પરથી આ વખતે ટિકિટ ના મળ્યા બાદ અડવાણીની આ પહેલી સાર્વજનિક ટિપ્પણી હતી. અડવાણીના બ્લોગ બાદથી જ વિરોધપક્ષ પીએમ મોદી પર પ્રહારો કરી રહ્યું છે.