જે હરિયાણા લિંગાનુપાત માટે બદનામ રહ્યું, એની માટીમાં વર્ષ 1952 ને વેલેન્ટાઇન્સ ડે (14 ફેબ્રુઆરી)ના દિવસે એક છોકરીએ જન્મ લીધો. કદાચ જ કોઇએ વિચાર્યું હશે કે એ છોકરીએ એક દિવસ ભારત જ નહીં દુનિયાભરમાં પણ નામ કમાશે.
અમે વાત કરી રહ્યા છે પૂર્વ વિદેશમંત્રી અને ભાજપની કદાવર નેતા સુષમા સ્વરાજની, જેમનું મંગળવાર 67 વર્ષની વયે દિલ્હીની એમ્સમાં નિધન થઇ ગયું. એમના અંતિમ સંસ્કાર બુધવારે કરવામાં આવશે.
ઘરથી મળ્યું હતું RSS નું શિક્ષણ
આમ તો માતા પિતાનો સંબંધ પાકિસ્તાનના લાહોરથી હતો, જે બાદમાં હરિયાણાના અંબાલામાં રહેવા લાગ્યા. પિતા હરદેવ શર્મા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના જાણીતા સભ્ય હતા. જેથી તેઓને સંઘની પાઠશાળાનું જ્ઞાન એમને ઘરથી મળ્યું. સંસ્કૃત અને રાજનીતિ વિજ્ઞાનમાં અંબાલા કેન્ટના સનાતન ધર્મ કોલેજથી શિક્ષા પ્રાપ્ત કરી અને ત્યારબાદ ચંડીગઢની પંજાબ યૂનિવર્સિટીથી લૉ કર્યું. બોલવાનું હુનર એવું કે હરિયાણાની લેન્ગ્વેજ ડિપાર્ટમેન્ટના કૉમ્પિટિશનમાં સતત ત્રણ વર્ષ સર્વશ્રેષ્ઠ હિંદી વક્તાનો અવોર્ડ મળ્યો.
કોલેજમાં થઇ હતી પતિ સાથે મુલાકાત
રિપોર્ટ પ્રમાણે સુષમા સ્વરાજના લૉ ના અભિયાસ દરમિયાન સ્વરાજ કૌશલ સાથે મુલાકાત થઇ હતી. બંનેની પ્રેમ કહાની કૉલેજથી શરૂ થઇ. સુષમા સ્વરાજ સુપ્રીમ કોર્ટની વકીલ પણ રહી ચુકી છે. આ એ દરમિયાનની વાત છે, જ્યારે હરિયાણામાં કોઇ છોકરીને લવ મેરેજ કરવા તો દૂર વિચારવું પણ મોટી વાત માનવામાં આવતી હતી. પરંતુ કમાલની વાત એ છે કે સુષમા સ્વરાજ આરએસએસથી જોડાયેલા હતા અને સ્વરાજ કૌશલ સોશલિસ્ટ વિચારધારાને માનતા હતા.
ઇમરજન્સી (આપાતકાલ) ના સમયમાં કર્યા હતા લગ્ન
વર્ષ 1975માં સુષમા સ્વરાજ સોશિલિસ્ટ નેતા જોર્જ ફર્નાડિસની લીગલ ડિફેન્સ ટીમનો ભાગ બની ગયા, જેમાં સ્વરાજ કૌશલ પણ હતા. એમને અને સ્વરાજ કૌશલે ઇમરજન્સી દરમિયાન જયપ્રકાશ નારાયણના આંદોલનમાં ભાગ લીધો, અહીંયાથી તેઓ વધારે નજીક આવ્યા અને લગ્ન કરવાનો નિર્ણય લઇ લીધો. પરંતુ આ એટલું પણ સરળ નહતું. બંનેએ પોતાના પરિવારોને મનાવવા ઘણી મહેનત કરવી પડી. ત્યારબાદ 13 જુલાઇ 1975 એ બંનેએ લગ્ન કરી લીધા. લગ્ન બાદ સુષમા સ્વરાજએ પોતાના પતિના નામને સરનેમ બનાવી.
ઉલ્લેખનીય છે કે સ્વરાજ કૌશલ 3 વર્ષ સુધી મિઝોરમના ગવર્નર પર રહી ચૂક્યા છે. સુષમા સ્વરાજની એક દિકરી છે જેનુ નામ બાંસુરી કૌશલ છે. બાંસુરીએ પણ ઑક્સફોર્ડ યૂનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન પૂરુ કર્યુ હતુ. જે પછી ઇનર ટેમ્પલથી કાયદામાં બેરિસ્ટરની ડિગ્રી લીધા પછી પોતાના પિતાની જેમ ક્રાઇમ વકીલ બની.
સુષમા સ્વરાજ લાંબા સમયથી કિડનીની સમસ્યાથી પરેશાન હતા. કેટલાક દિવસ પહેલા તેમણે કિડની ટ્રાન્સપ્લાન્ટ પણ કરાવ્યુ હતુ. મોદી સરકાર 2.0માં શામેલ ના થવાનું કારણ પણ આજ રહ્યુ હતુ. તેમણે ન તો 2019ની ચૂંટણી લડી અને ન તો કેબિનેટમાં કોઇ પણ પદ લીધું.