પૂર્વ વિદેશ મંત્રી અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી સુષમા સ્વરાજનું મંગળવારે 67 વર્ષની ઉંમરે નિધન થયું છે. હાર્ટ એટેક બાદ મંગળવારે તેમને દિલ્હી સ્થિત એઈમ્સમાં ભરતી કરવામાં આવ્યા હતા.
પૂર્વ વિદેશમંત્રી સુષમા સ્વરાજ ખુબ જ વ્યસ્ત રહેતા હતા. કેટલીક વખત અજીબ સવાલોના જવાબ આપવા, મુશ્કેલીમાં મુકાયેલા લોકોની મદદ કરી, જેવા અનેક પ્રસંગો છે જે યાદગાર રહી જશે.
પરંતુ એક દિવસ એવો હતો જ્યારે સંસદના ગેટ પાસે તેઓ એવા વ્યક્તિને મળ્યા જેની આશા તેમણે નહીં કરી હોય. જે વ્યક્તિ સાથે તેઓ ટકરાયા હતા તે તેમના પતિ સ્વરાજ કૌશલ હતા.
આ મુલાકાતની જાણકારી તેમણે ટ્વિટર પર પતિની સાથે ફોટો નાખીને શેર કરી હતી. ફોટોમાં તેમની પાછળ ભાજપના સાંસદ વિનય કટિયાર અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને સાંસદ દિગ્વિજય સિંહ દેખાયા હતા.
ટ્વિટમાં સુષમા સ્વરાજે લખ્યું હતું કે, ગવર્નર સ્વરાજ સાથે કેટલાક વર્ષો બાદ સાંસદના ગેટ પર મુલાકાત થઇ હતી. તેમને જણાવી દઇએ કે સુષ્માના પતિ 1998થી 2004 સુધી રાજ્યસભાના સાંસદ રહી ચૂક્યા છે. સુષમા સ્વરાજ પણ 2000થી 2004 સુધી રાજ્યસભાના સભ્ય હતા. આ પહેલા તેઓ લોકસભાના સભ્ય હતા.
સુષ્માના પતિ 37 વર્ષની ઉંમરે દેશના યુવા રાજ્યપાલ બન્યા હતા. તેઓ 1990થી 1993 સુધી મિઝોરમના રાજ્યપાલ હતા. સ્વરાજ ટ્વિટર પણ છે, પરંતુ સુષ્મા સ્વરાજની બરોબરીમાં માત્ર કેટલાક લોકો જ તેમનું ટ્વિટ વાંચી શક્યા હતા.
સુષ્મા સ્વરાજના પતિ સુપ્રીમ કોર્ટમાં વકીલ હતા. ઉલ્લેખનીય છે કે, સુષમા સ્વરાજ ટ્વિટર પર ઘણા એક્ટિવ રહેતા હતા. ટ્વિટર પર તેમના 1 કરોડ ફૉલોવર્સ. વિદેશ મંત્રાલયને લગતા સવાલો સિવાય તેઓ કેટલીક વખત વિચિત્ર સવાલોના પણ જવાબ આપતી હતી જે ચર્ચા બનતી હતી.