પૂર્વ વિદેશ મંત્રી અને ભાજપના દિગ્ગજ નેતા સુષ્મા સ્વરાજે પોતાના નિધના થોડા સમય પહેલા જ કુલભૂષણ જાધવ મામલે ભારતીય વકીલ હરીશ સાલ્વે એ તેમની 1 રૂપિયાની ફી દેવા માટે બોલાવ્યા હતા. સાલ્વેએ હેગ સ્થિત આંતરરાષ્ટ્રીય કોર્ટ (ICJ) માં જાધવ મામલે સુનાવણી દરમિયાન ભારતનું પ્રતિનિધિત્વ 1 રૂપિયો ફી પર કર્યું હતું. પરંતુ હરીશ સાલ્વેને પોતાની ફી મળ્યા પહેલા જ સુષમા સ્વરાજનું નિધન થઇ ગયું હતું. હવે હરીશ સાલ્વેને તેમની ફી મળી ગઇ છે.
સુષ્મા સ્વરાજના નિધનના થોડા સમય પહેલા તેમણે સુષમા સ્વરાજ સાથે વાત કરી હતીઃ હરીશ સાલ્વે
કુલભૂષણ જાધવ કેસની ફી એક રૂપિયા જે તમે છોડી ગયા હતા
ફી આપ્યા પહેલા સુષ્મા સ્વરાજનું નિધન થઇ ગયું અને તેમનું વચન અધૂરુ રહી ગયું
સુષ્મા સ્વરાજની દીકરી બાંસુરી સ્વરાજને શુક્રવારે વકીલ હરીશ સાલ્વેએ ચૂકવી દીધા છે. સુષ્મા સ્વરાજે પતિ સ્વરાજ કૌશલના એક ટ્વીટમાં કહ્યું કે, બાંસુરીએ આજે તમારી અંતિમ ઇચ્છાને પૂરી કરી દીધી છે. કુલભૂષણ જાધવ કેસની ફી એક રૂપિયા જે તમે છોડી ગયા હતા, તેને આજે હરીશ સાલ્વેજીને ભેંટ કરી દીધી છે.
શું હતો સુષમાનું અંતિમ વચન?
સુષ્મા સ્વરાજના નિધનના તત્કાલ બાદ હરીશ સાલ્વેએ એક ટીવી ચેનલ સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે નિધનના થોડા સમય પહેલા તેમણે સુષમા સ્વરાજ સાથે વાત કરી હતી. હરીશ સાલ્વેએ કહ્યું હતું કે મે રાત્રે 8.45 વાગ્યે વાત કરી. આ એક બહુજ ભાવનાત્મક વાતચીત હતી. તેમણે કહ્યું, આવો મને મળો. જે કેસ તમે જીત્યા તેમના માટે મારે તમને એક રૂપિયો આપવો છે. મેં કહ્યું કે હા કેમ નહીં, મને તે કિંમતી ફી લેવા માટે આવવું છે. તેમણે કહ્યું કાલે 6 વાગ્યે આવજો. પરંતુ આ પહેલા સુષ્મા સ્વરાજનું નિધન થઇ ગયું અને તેમનું વચન અધૂરુ રહી ગયું છે.
@sushmaswaraj Bansuri has fulfilled your last wish. She called on Mr.Harish Salve and presented the One Rupee coin that you left as fees for Kulbhushan Jadhav's case. pic.twitter.com/eyBtyWCSUD
જોકે, પાકિસ્તાન જાધવને માર્ચ 2016માં જાસૂસીના આરોપમાં ધરપકડ કરી હતી. ધરપકડ બાદથી જ પાકિસ્તાન સતત ભારતીય અધિકારીઓને મળવાની મંજૂરી આપતા ન હતા. ત્યાર બાદ પાકિસ્તાનની એક સૈન્ય કોર્ટે જાધવને મોતની સજા સંભળાવ્યા બાદ ભારતે આઇસીજેમાં મામલાને ઉઠાવ્યો હતો.
ત્યારબાદ આઇસીજેએ પાકિસ્તાનને જાધવની ફાંસીની સજા પર રોક યથાવત રાખવા અને રાજનૈતિક ઍક્સેસ આપવાના આદેશ આપ્યા હતા. ભારતે પાકિસ્તાન સાથે આઇસીજેના આદેશ પર તાત્કાલીક કાર્યવાહી કરવા અને જાધવને કૉન્સુલર એક્સેસ આપવા માટે કહ્યું હતું. ત્યાર બાદ આંતરરાષ્ટ્રીય કોર્ટના આદેશ અનુસાર પાકિસ્તાન કુલભૂષણ જાધવને પાકિસ્તાની કાયદા અંતર્ગત રાજનૈતિક ઍક્સેસ આપવા માટે રાજી થઇ ગયું. આ જીત પર સુષ્મા સ્વરાજે ખુશી વ્યક્ત કરી હતી.
જ્યારે હરીશ સાલ્વેનો સુષ્મા સ્વરાજે આભાર માન્યો
તેમણે ટ્વીટ કરીને કહ્યું હતું કે, જાધવ મામલે હું જી જાનથી આંતરરાષ્ટ્રીય કોર્ટના નિર્ણયનું સ્વાગત કરું છું. આ ભારત માટે મોટી જીત છે. તેમણે આ મામલે પીએણ મોદીનો પણ આભાર માન્યો અને અસરદાર રીતે લડવા માટે વકીલ હરીશ સાલ્વેનો પણ આભાર વ્યક્ત કર્યો હતો.