ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા અને પૂર્વ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજનો પાર્થિવ શરીર પંચમહાભૂતમાં વિલીન થયો. સુષ્મા સ્વરાજના પાર્થિવ શરીરને લોધી રોડ સ્થિત સ્મશાન ગૃહમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો. મંગળવારે રાત્રે 67 વર્ષના સુષ્મા સ્વરાજને એટેક આવ્યા બાદ રાત્રે 9 વાગ્યે ગંભીર સ્થિતિમાં એમ્સ લાવવામાં આવ્યા પરંતુ ડોક્ટર એમને બચાવી શકાયા નહોતા.
સુષ્મા સ્વરાજના પુત્રીએ આપ્યો મુખાગ્નિ
સુષ્મા સ્વરાજની પુત્રી બાંસુરીએ અંતિમ સંસ્કાર આપ્યા. એમની સાથે સુષ્મા સ્વરાજના પિતા સ્વરાજ કૌશલ હાજર હતા. જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ, રક્ષામંત્રી રાજનાથ સિંહ, સહિત સરકારના મોટા મંત્રી સુષ્મા સ્વરાજના અંતિમ સંસ્કારમાં પહોંચ્યા હતા.
ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા અને પૂર્વ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજનું 67 વર્ષની ઉંમરે એમ્સમાં નિધન થઇ ગયું. મંગળવારે સુષ્મા સ્વરાજને એટેક આવ્યા બાદ રાત્રે 9 વાગ્યે ખુબ જ ગંભીર સ્થિતિમાં એમ્સ લાવવામાં આવ્યા પરંતુ ડોક્ટર એમને બચાવી ન શક્યા. બીજેપી મુખ્યાલયમાં તેમના પાર્થિવ શરીરને અંતિમ દર્શન માટે લાવવામાં આવ્યો.
ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ મંત્રી અમિત શાહ, લોકસભા સ્પીકર ઓમ બિરલાએ પણ સુષ્મા સ્વરાજને અંતિમ શ્રદ્ધાંજલિ આપી હતી. લાલકૃષ્ણ અડવાણી, મનીષ સિસોદિયા, શરદ યાદવ, અશોક ગહલોત, બિપ્લબ દેવ, અરવિન્દ કેજરીવાલ સહિત ઘણા મોટા નેતાઓ સુષ્મા સ્વરાજને અંતિમ શ્રદ્ધાંજલિ આપી હતી. સુષ્મા સ્વરાજને શ્રદ્ધાંજલિ આપતા વેંકૈયા નાયડૂ રડી પડ્યા હતા.
રાજનાથ-પીયૂષ ગોયલ તથા નડ્ડાએ આપી કાંધ
સુષ્મા સ્વરાજના પાર્થિવ શરીરને અંતિમ સંસ્કાર માટે લઇ જવામાં આવ્યો ત્યારે રાજનાથ સિંહ, જેપી નડ્ડા, રવિશંકર પ્રસાદ, પીયૂષ ગોયલે કાંધ આપી. ત્યારબાદ તેમના પાર્થિવ શરીરને લોધી રોડ સ્થિત શ્મશાન ગૃહ ખાતે લઇ જવામાં આવ્યો હતો.
ધર્મગુરુ દલાઇ લામાની શ્રદ્ધાજંલિ
તિબ્બતના ધર્મગુરૂ દલાઇ લામાએ પણ સુષ્મા સ્વરાજના નિધન પર શોક વ્યક્ત કર્યો. એમણે કહ્યું કે સુષ્મા સ્વરાજે પોતાના કામ દ્વારા દુનિયામાં ઘણું સમ્માન મેળવ્યું. તેમના નિધન પર એમના પરિવાર પ્રતિ શોક વ્યક્ત કરીએ છીએ.
The Dalai Lama on #SushmaSwaraj: I offer my prayers & my condolences at this difficult time. Sushma Swaraj enjoyed immense respect for her compassionate concern for people&her friendly demeanour. In devoting herself to service of others, she led a very meaningful life.(File pics) pic.twitter.com/6HILHPjvRH
અંતિમ સંસ્કાર પૂર્વે સુષ્મા સ્વરાજના પાર્થિવ શરીરને તિરંગામાં લપેટવામાં આવ્યો. સુષમા સ્વરાજના ઘર પર તેમને શ્રદ્ધાંજલિ આપવા લોકો પહોંચ્યાં હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નિવાસ સ્થાને જઇ શ્રદ્ધાંજલિ આપી હતી. સુષમા સ્વરાજના પરિવારને મળી પીએમ મોદી ભાવુક થયાં હતા. તથા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સુષમા સ્વરાજના નિવાસ સ્થાને જઇને શ્રદ્ધાંજલિ આપી હતી.
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે સુષમા સ્વરાજના નિવાસ સ્થાને જઇને શ્રદ્ધાંજલિ પાઠવી. અમિત શાહે કહ્યું કે સુષમાજીના નિધનથી દરેક લોકો દુઃખી છે. ભાજપના બધા કાર્યકરો તેમને યાદ કરી રહ્યાં છે અને દુઃખી છે. અમિત શાહે સુષમા સ્વરાજના પરિવારને સાંત્વના પાઠવી.
સુષ્મા સ્વરાજના નિવાસ સ્થાને તમામ નેતાઓની શ્રદ્ધાંજલિ
કર્ણાટકના મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પાએ સુષમા સ્વરાજને નિવાસ સ્થાને પહોંચી શ્રદ્ધાંજલિ આપી હતી. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સુષમા સ્વરાજને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. જ્યારે યૂપીએ ચેરપર્સને સોનિયા ગાંધીએ સુષ્માના નિવાસ સ્થાને જઇ શ્રદ્ધાંજલિ આપી. પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ, કોંગ્રેસ નેતા રાજીવ શુકલા અને દિગ્વિજયસિંહે સુષમા સ્વરાજને શ્રદ્ધાંજલિ આપી. યૂપીના પૂર્વ સીએમ અને સપા નેતા મુલાયમ સિંહ યાદવે પૂર્વ વિદેશ મંત્રી સુષમા સ્વરાજને શ્રદ્ધાંજલિ આપી હતી. ભારતીય ક્રિકેટ ટીમના સુકાની વિરાટ કોહલીએ સુષમા સ્વરાજના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું.
ભાજપના દિગ્ગજ નેતા લાલકૃષ્ણ અડવાણીએ સુષમા સ્વરાજના નિધન પર શોક વ્યક્ત કર્યો. ભાજપના સાંસદ રવિ કિશન, નેતા કૈલાશ વિજયવર્ગીય, હેમા માલિની, જ્યારે યોગ ગુરુ બાબા રામદેવે સુષ્મા સ્વરાજને શ્રદ્ધાંજલિ આપી હતી. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, ડે. સીએમ મનીષ સિસોદિયાએ સુષ્માના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું હતું.
નેપાળના વડાપ્રધાને દુઃખ વ્યક્ત કર્યું
પૂર્વ વિદેશ પ્રધાન સુષમા સ્વરાજના નિધન પર ઘણા દેશના પ્રમુખોએ દુઃખ વ્યક્ત કર્યું છે. નેપાળના વડાપ્રધાન કેપી શર્મા ઓલીએ સુષમાં સ્વરાજના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું.
નિવાસ સ્થાને અંતિમ દર્શન
સુષ્મા સ્વરાજના પાર્થિવ દેહને મોડી રાતે તેમના ઘરે લાવવામાં આવ્યો હતો. સુષ્મા સ્વરાજનો પાર્થિવ દેહ અંતિમ દર્શન માટે મૂકાયો હતો. ભાજપના દિગ્ગજ નેતાઓ સહિત રાજકીય હસ્તીઓ મોડી રાતે જ અંતિમ દર્શન કરવા પહોંચ્યા હતાં. સ્વરાજનો પાર્થિવ દેહ સવારે 11 વાગ્યા સુધી તેમના ઘરે અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યો. ત્યારબાદ 12 કલાકે દિલ્હી ભાજપ કાર્યાલયે પાર્થિવ દેહને લાવવામાં આવ્યો.
Delhi: President Ram Nath Kovind pays last tribute to former External Affairs Minister & Bharatiya Janata Party leader #SushmaSwaraj, at her residence. pic.twitter.com/7IAj9WINol