ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ વિદેશમંત્રી સુષમા સ્વરાજનું મંગળવારે મોડી રાતે 67 વર્ષની વયે નિધન થયું છે. સુષમા દીદીને હાર્ટ અટેક આવતાં દિલ્હી AIIMSમાં દાખલ કરાયાં હતાં. પરંતુ દુભાર્ગ્યપૂર્ણ રીતે 70 મિનિટ સુધી મોત સામે ઝઝુમ્યા બાદ સુષમા દીદીએ AIIMSમાં અંતિમ શ્વાસ લીધા હતાં. કટોકટી વખતે જે.પી સંપૂર્ણ ક્રાંતિ આંદોલનથી રાજનીતિમાં માત્ર 24 વર્ષની ઉંમરે પ્રવેશ કરનાર અને દિલ્હીના પ્રથમ મહિલા મુખ્યમંત્રીથી ભારતના વિદેશમંત્રી સુધીની સફર ખેડનાર સુષમા સ્વરાજ હંમેશા યાદ રહેશે.