જો તમે હાલમાં કોઇ શોપિંગ કરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો થોભી જાવ કારણ કે હાલમાં તમને શોપિંગ કરવાથી મોટું નુકસાન થઇ શકે છે. જો તમારે શોપિંગ કરવી પણ છે તો 27 જુલાઇ સુધી રાહ જોવી પડશે. એનાથી તમે ફાયદામાં પણ રહેશો અને નુકસાન પણ થશે નહીં. વાસ્તવમાં જીએસટી પરિષદજે 100થી વધારે વસ્તુઓનો ટેક્સ ઘટાડ્યો છે એ ભાવ 27 જુલાઇ બાદ જ લાગૂ થશે. જાણો જીએસટીના નવા ભાવના નોટિફિકેશન માટે શું કહ્યું છે...
27 જુલાઇ સુધી ના કરશો શોપિંગ
શનિવારે ગ્રાહકોની વસ્તુઓમાં ટેક્સના ભાવમાં કાપને કેન્દ્ર અને રાજ્ય સરકાર 27 જુલાઇ સુધી અધિસૂચિત કરી શકશે. સામાન્ય ગ્રાહકોને એમેન અપીલ કરી છે કે અત્યંત જરૂર ના હોય તો ઘટેલા ભાવનો લવાભ લેવા માટે એક સપ્તાહ સુધી એમની ખરીદી અટકાવી દે. જણાવી દઇએ કે GST પરિષદની શનિવારે થયેલી બેઠકમાં એકમુશ્ત 100થી વધારે ગ્રાહકો વસ્તુઓ પર ટેક્સના ભાવમાં ઘટાડો કર્યો હતો.
આ વસ્તુઓ પર GSTમાં કર્યો ઘટાડો
મોદીએ કહ્યું સેનેટરી નેપકિન અને દરેક પ્રકારની ભગવાનની મૂર્તિઓની સાથે જ બિહારની પ્રસિદ્ધ હસ્તકળાઓ ટિકુલી ક્રાફ્ટ એપલિકને પૂરી રીતે ટેક્સ મુક્ત કરી દેવામાં આવ્યા છે.
એમને કહ્યું કે જીએસટીના પૂર્વ ડોઢ કરોડથી ઓછા ટર્નઓવર વાળા સૂક્ષ્મ અને લધુ ઉદ્યોગોને એક્સાઇઝ ડ્યૂટીથી મુક્ત રાખવામાં આવી છે પરંતુ જીએસટીમાં સામેલ કર્યા બાદ એમને અનેક પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. ચાર ઓગસ્ટે પરિષદની વિશેષ બેઠકમાં નાના ઉદ્યોગોની સમસ્યાઓ પર વિચાર માટે ઘણા ઉદ્યોગ સંગઠનોના પ્રતિનિધિઓને પણ આમંત્રિત કરવામાં આવ્યા છે.
મોંઘવારી નિયંત્રિત રહી છે
મોદીએ કહ્યું કે દુનિયાના મોટાભાગના દેશોમાં જીએસટી લાગૂ થયા બાદ મોંઘવારી વધી બ્રિટેન અને ન્યૂઝીલેન્ડમાં મોંધવારી બે આંકડામાં ચાલી ગઇ. તો ભારતમાં ટેક્સના ભાવમાં સતત યુક્તિપૂર્વક બનાવવાના કારણે મોંઘવારી નિયંત્રિત રહી છે.