સુશીલ કુમાર શિંદે પાર્ટીના વરિષ્ઠ નેતાઓને તેમની વાત ના સાંભળતા પોતાની વાત કહી છે. એક સમય હતો જ્યારે કોંગ્રેસ પાર્ટીમાં તેમના શબ્દોની કિંમત હતી અને તેમણે કહેલી વાતોને પાર્ટી સાંભળતી હતી.
વાદ અને વિવાદ એ કોંગ્રેસની પરંપરા છે
પાર્ટીમાં આત્મચિંતન બેઠકનું આયોજન કરવું જોઈએ
તેમની દીકરી મહારાષ્ટ્રમાં ધારાસભ્ય
વાદ અને વિવાદ એ કોંગ્રેસની પરંપરા છે
પંજાબમાં કોંગ્રસ પાર્ટીમાં થયેલા વિખવાદને લઈને ઘણા કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ પરેશાન છે. દેશના પૂર્વ ગૃહમંત્રી અને સિનિયર નેતા સુશીલ કુમાર શિંદેએ મોટું એલાન કર્યું છે. તેમણે કહ્યું છે કે વાદ અને વિવાદ એ કોંગ્રેસની પરંપરા છે, પણ હવે આ પરંપરા પતિ ગઈ છે. તેઓ ઘણા દુખી થઈ ગયા હતા અને કહ્યું કે પાર્ટીમાં આત્મચિંતન બેઠકનું આયોજન કરવું જોઈએ. તેમણે એ પણ માન્યું કે પાર્ટીની નીતિ ખોટી હોઈ શકે છે, પણ એ બધુ સરખું કરવા માટે ચિંતન શિબિરની જરૂર છે.
પાર્ટીમાં આત્મચિંતન બેઠકનું આયોજન કરવું જોઈએ
તેમણે પાર્ટી તેમની વાત પર કોઈ પ્રતિક્રિયા નથી આપી રહી તે મુદ્દે કહ્યું કે એક સમય હતો જ્યારે કોંગ્રેસ પાર્ટીમાં મારા શબ્દોની કિંમત હતી અને તેમણે કહેલી વાતોને પાર્ટી સાંભળતી હતી. પોતાનું દુખ વ્યકત કરતાં તેમણે કહ્યું કે તેમણે કહેલી વાતની કિંમત છે કે નહીં. તેઓ બોલ્યા કે કોંગ્રેસ પાર્ટી પોતાની વિચારધારાની સંસ્કૃતિ પણ ગુમાવી રહી છે અને આજે એ સમજવાની જરૂર છે કે પાર્ટી હવે કઈ દિશામાં જઈ રહી છે.
તેમની દીકરી મહારાષ્ટ્રમાં ધારાસભ્ય
શિંદે એક સમયે કોંગ્રસ પાર્ટીના મોત નેતામાં ગણવામાં આવતા હતા અને UPA સરકારના સમયમાં તેઓ ગૃહમંત્રી સહિત ઘણા બધા મંત્રાલયોના મંત્રી રહી ચૂક્યા છે. તેઓ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે, હાલમાં તેમની દીકરી મહારાષ્ટ્રમાં ધારાસભ્ય છે.