દેશના મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે સુશીલ ચંદ્રાની નિયુક્તી કરાઈ છે. સુશીલ ચંદ્રા 13 એપ્રિલથી હોદ્દો સંભાળશે.
સુશીલ ચંદ્રા સુનિલ અરોરાનું સ્થાન સંભાળશે
13 એપ્રિલથી હોદ્દો સંભાળશે.
સુશીલ ચંદ્રા 14 મે 2020 સુધી ચૂંટણી કમિશનરનો હોદ્દો સંભાળશે.
સુશીલ ચંદ્રા પ્રવર્તમાન ચૂંટણી કમિશનર સુનિલ અરોરાનું સ્થાન સંભાળશે. લોકસભાની ચૂંટણી પહેલા 14 ફેબ્રુઆરી 2019 ના દિવસે સુનિલ અરોરાના મુખ્ય ચૂંટણી કમિશનર બનાવાયા હતા સુશીલ ચંદ્રા 14 મે 2020 સુધી ચૂંટણી કમિશનરનો હોદ્દો સંભાળશે.
રાષ્ટ્રપતિએ ચૂંટણી કમિશનર તરીકે સુશીલ ચંદ્રાની નિયુક્તી કરી
કાયદા મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા એક નિવેદનમાં જણાવાયું કે રાષ્ટ્રપતિએ ચૂંટણી કમિશનર તરીકે સુશીલ ચંદ્રાની નિયુક્તી કરી છે. તેઓ 13 એપ્રિલથી હોદ્દો સંભાળશે અને આ સંબંધિત એક નોટિફિકેશન બહાર પાડી દેવાયું છે.
ચૂંટણી પંચની લાલ આંખ-મમતા ભાષણમાં સંયમ રાખે
મમતા પર પ્રચારનો 24 કલાકનો પ્રતિબંધ મૂકતા ચૂંટણી પંચે તેમને તેમના ભાષણમાં કાબૂમાં રહેવાનું પણ જણાવ્યું છે. ચૂંટણી પંચે જણાવ્યું કે બંગાળના સીએમ બેનરજીએ કાયદો અને વ્યવસ્થા ન બગડે તેવું કોઈ ભાષણ ન આપવું જોઈએ. મમતાએ દમદમની એક ચૂંટણી સભામાં જણાવ્યું તું કે હું ચૂંટણી પંચને હાથ જોડીને વિનંતી કરુ છું કે ફક્ત ભાજપનું ન સાંભળવામાં આવે, તમામ પક્ષોનું સાંભળવામાં આવે, પક્ષપાતી વલણ ન અપનાવવામાં આવે. મમતા બેનરજીએ એક ચૂંટણી સભામાં હિંદુ-મુસલમાન અંગે નિવેદન આપ્યું હતું. બેનરજીએ મુસ્લિમોને ટીએમસીને વોટ આપવાની અપીલ કરી હતી. મમતા બેનરજી પર અર્ધસૈનિક દળો અને લઘુમતી સમૂદાયના વોટ ન વિભાજીત કરવાનું નિવેદન આપવાનો પણ આરોપ છે.