બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતના નિધન બાદ તેની બહેન શ્વેતા સિંહ કીર્તિએ મોટો નિર્ણય લીધો છે. શ્વેતાએ તેની ફેસબુક પ્રોફાઇલને લૉક કરી દીધી છે. તેણે પોતાનો પ્રોફાઇલ ફોટો પણ કાઢી નાંખ્યો છે. તેના ફેસબુક એકાઉન્ટ પર હવે કોઈ માહિતી દેખાતી નથી. અચાનક, આ રીતે તેનો આ નિર્ણય ચર્ચાનો વિષય બની ગયો છે.
શ્વેતાએ લૉક કર્યુ ફેસબૂક
સુશાંતની બહેને કેમ લીધો આ નિર્ણય?
શ્વેતા સિંહ કીર્તિ તેના ફેસબુક એકાઉન્ટ દ્વારા લોકોને તેના પરિવારથી સંબંધિત માહિતી આપી રહી હતી. લોકો તેની દરેક પોસ્ટ પર ઘણી ટિપ્પણી કરી રહ્યા હતા. ગુરુવાર સુધી શ્વેતાનું ફેસબુક એકાઉન્ટ સામાન્ય રહ્યું, પરંતુ એક દિવસ પછી અચાનક જ તેણે પોતાની બધી પોસ્ટ્સ અને માહિતી છુપાવી દીધી. હવે ફક્ત અને ફક્ત તેનું નામ જ તેની પ્રોફાઇલ પર દેખાય છે.
આ પહેલા શ્વેતાએ સુશાંતને યાદ કરતાં ઇમોશનલ પોસ્ટ શૅર કરી હતી. તેણે લખ્યું, 'મારા બેબી, મારા બાબુ, તુ હવે અમારી સાથે શારીરિક રીતે હાજર નથી. હું જાણું છું કે તમે ખૂબ પીડામાં હતા અને હું જાણું છું કે તમે એક યોદ્ધા હતા અને બહાદુરીથી લડતા હતા. તમને જે બધી પીડામાંથી પસાર થવું પડ્યું તેના માટે માફ કરશો. જો હું કરી શકતી હોત તો હું તે બધાં દુ:ખો તમારી પાસેથી લેત અને તમને મારી બધી ખુશી આપી દેત. તમારી ચમકતી આંખોએ વિશ્વને કેવી રીતે સ્વપ્ન જોવું તે શીખવ્યું, તમારું નિર્દોષ સ્મિત તમારા હૃદયની સાચી શુદ્ધતા પ્રગટ કરતુ હતુ. '
જણાવી દઈએ કે, સુશાંત સિંહ રાજપૂતે 14 જૂને મુંબઇ સ્થિત તેમના ઘરે આત્મહત્યા કરી હતી. સોમવારે મુંબઇના વિલે પાર્લેના સ્મશાનગૃહમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. આ સમય દરમિયાન તેના પિતા, બહેન અને કાકા તેના પરિવારમાં હાજર હતા, પરંતુ વિદેશ હોવાને કારણે તેમની એક બહેન શ્વેતા કીર્તિ સિંહ અંતિમ વિદાય પર પહોંચી શકી ન હતી.