બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતની મોતની તપાસ વચ્ચે સુશાંતના મિત્ર ગણેશ હિવરકરે મોટો દાવો કર્યો છે. હિવરકરના જણાવ્યા અનુસાર, સુશાંતની હત્યા અંગે ડિરેક્ટર સંદીપ સિંહને પૂરી જાણકારી હતી. હિવરકરે કહ્યું કે, સંદીપ બધે જ વાતો કરી રહ્યો છે કે જો તેને લાંબા સમય પછી સુશાંતના મૃત્યુના સમાચાર મળ્યા, તો તે સાવ ખોટું બોલી રહ્યો છે.
સુશાંતના મિત્રએ કર્યો ખુલાસો
સંદિપને હતી પહેલેથી જાણકારી
સુશાંતની હત્યા કરવામાં આવી છે
સુશાંત સિંહ રાજપૂતનાં મોતની તપાસ ફરી એકવાર નવા વળાંક પર પહોંચી ગઈ છે. સુશાંત સિંહ રાજપૂતના મિત્ર ગણેશ હિવરકરે દાવો કર્યો છે કે ડિરેક્ટર સંદિપ સિંહની ટીમમાં કાર્યરત મારા સૂત્રોએ મને કહ્યું છે કે સુશાંતની હત્યા વિશે સંદીપને પહેલેથી ખબર હતી. હિવરકરે દાવો કર્યો હતો કે સુશાંત ખૂબ જલ્દી દિશા સલિયનના મોત અંગે ખુલાસો કરવાનો હતો. હિવરકરે કહ્યું કે સુશાંતસિંહ રાજપૂતની હત્યા કરવામાં આવી છે અને મુંબઈ પોલીસની આત્મહત્યાની વાત સંપૂર્ણપણે ખોટી છે.
ગણેશ હિવરકરે કહ્યું કે હું આ આખા કેસનો ખુલાસો કરવા માંગુ છું અને સીબીઆઈ સમક્ષ આ હત્યામાં સામેલ તમામ લોકોનું નામ આપીશ. ગણેશ હિવરકરે કહ્યું કે મેં પોલીસ સુરક્ષાની પણ માંગ કરી છે.
દરમિયાન, સુશાંત સિંહ રાજપૂતનાં મોતનાં મામલામાં પૈસાની લેણદેણની તપાસ કરી રહેલા એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટને તેની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીનાં સુશાંતનાં બેંક ખાતાઓમાં કોઈ મોટો વ્યવહાર મળ્યો નથી. જોકે, ઇડીએ શોધી કાઢ્યું છે કે સુશાંતના ખાતામાંથી 15 કરોડ રૂપિયા ઉપાડવામાં આવ્યા હતા. સુશાંતના પિતા કેકે સિંહે પણ આરોપ લગાવ્યો છે કે સુશાંતના બેંક ખાતામાંથી પૈસા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે.