સુશાંત સિંહ રાજપૂત ના પિતાના એડવોકેટ વિકાસ સિંહે કહ્યું કે આ કેસની તપાસમાં વિલંબ થઈ રહ્યો છે મુંબઈ પોલીસ અને ત્યારબાદ NCB દ્વારા કરવામાં આવતી તપાસ અંગે તેમણે નિરાશા વ્યક્ત કરી હતી.તેમણે કહ્યું હતું કે " મુંબઈ પોલીસની જેમ NCB પણ સ્ટાર્સની ફેશન પરેડ યોજી રહી છે.જો રિયા ડ્રગ્સ સિન્ડિકેટમાં સામેલ છે, તો તેમના પર ગંભીર કેસ બની શકે છે"
સુશાંતના પિતાના વકીલ વિકાસ સિંહનો આરોપ
"NCB સેલેબ્સની ફેશન પરેડ કરાવી રહી છે" : વકીલ
CBI હજુ સુધી કેમ AIIMS ની ટીમને મળી નથી? :વિકાસ સિંહ
સુશાંત સિંહ રાજપૂત કેસની તપાસ લાંબા સમયથી ચાલી રહી છે અને હજી સુધી કંઇ પણ નક્કર અ કેસમાં સાબિત થયું નથી, આ બાબતે નિરાશા વ્યક્ત કરતાં સુશાંતના પિતાના વકીલ વિકાસ સિંહ એ NCB દ્વારા ચાલી રહેલી તપાસ પર સવાલ ઉઠાવ્યા હતા. એમ પણ કહ્યું હતું કે "મુંબઈ પોલીસની જેમ NCB પણ સિતારાઓની પરેડ કરાવી રહી છે"
" સુશાંત સિંહ રાજપૂત નથી, તો સત્ય કેવી રીતે સ્પષ્ટ થશે" : વિકાસ સિંહ
એડવોકેટ વિકાસ સિંહ એ જણાવ્યું હતું કે, આરોપી રિયા ચક્રવર્તીએ કહ્યું હતું કે તે સુશાંત સિંહ રાજપૂત માટે ડ્રગ્સ ખરીદતી હતી, તો શું તે તેણે જાતે ખરીદી હતી કે પછી સુશાંત સિંહ રાજપૂત ના કહેવા પર ખરીદી હતી, તેમના ડ્રગ્સ કેવી રીતે આપવામાં આવતું હતું , તેને તે ચા અથવા તો કોફી વગેરેમાં કઈ રીતે અપાતું હતું , પરંતુ હવે તો સુશાંત સિંહ રાજપૂત નથી તો તે સત્ય કહેશે તો તે કેવી રીતે સ્પષ્ટ થશે. આરોપી કઇં પણ બોલી શકે છે, તે 10 વ્યક્તિઓના નામ પણ લઈ શકે છે, તે કઇં પણ બોલી શકે છે.
CBI તપાસ પર પણ ઉઠાવ્યા સવાલો
એડવોકેટ વિકાસ સિંહ એ કહ્યું કે AIIMS ના ડોકટરે કહ્યું હતું કે "સુશાંત સિંહ રાજપૂત ની કેટલીક તસવીરો જોયા પછી તે કહી શકે છે કે આ મૃત્યુ આત્મહત્યા તો ન હોઈ શકે, તેમણે CBI ને સવાલ કર્યો હતો કે CBI હજી સુધી AIIMS ની ટીમને કેમ મળી નથી, આ કેસમાં CBI એ હજી સુધી હત્યાનો કેસ કેમ દાખલ કર્યો નથી." આ અંગે તેમણે વધુમાં કહ્યું હતું કે AIIMS ના ડોક્ટરે તેમણે કહ્યું હતું કે આ મોત આત્મહત્યા નથી પરંતુ તે 200% હત્યા છે.
" CBI ને તપાસમાં શું શું મળ્યું તે કેમ જાહેર કરતી નથી" : એડવોકેટ વિકાસ સિંહ
સુશાંત સિંહ રાજપૂત કેસમાં CBI ને સુસ્તીનો આરોપ લગાવતા વકીલ વિકાસ સિંહ એ કહ્યું કે સામાન્ય રીતે મોટા કેસમાં CBI દ્વારા નિવેદનો જારી કરવામાં આવે છે, પરંતુ આજદિન સુધી આ મામલે એક પણ નિવેદન આપવામાં આવ્યું નથી. એક પણ પ્રેસ સ્ટેટમેન્ટ આવ્યું નથી, જે ઘણી ગંભીર બાબત છે. અત્યાર સુધી CBI ને તપાસમાં શું શું મળ્યું તે જાહેર કરવામાં આવે.
વિકાસ સિંહ એ કહ્યું કે સુશાંત સિંહ રાજપૂત કેસમાં જે રીતે કેસ અધવચ્ચે લટકી રહ્યો છે, તે માટે અમે લોકો કઇં પણ કરી શકતા નથી. તપાસને ફરીથી સાચા ટ્રેક લાવવી જરૂરી છે, નહીં તો આ તપાસ તેની મંજીલ સુધી નહીં પહોંચી શકે અને તે અત્યંત ગંભીર બાબત છે.