સુશાંત સિંહ રાજપૂતના મોતથી બોલિવૂડ સહિત તેમના ફેન્સ દુ:ખી થઇ ગયા છે. ડિપ્રેશનના કારણે મોતને ભેટ્યો છે ત્યારે બોલિવૂડમાં લોકોએ કરણ જોહર અને સલમાન ખાન જેવા લોકો પર આરોપ લગાવ્યો છે. સુશાંતના નિઘનથી તેમની ભાભીને આઘાત લાગતા તેમનુ પણ અવસાન થયુ છે. હવે એવુ સાંભળવામાં આવ્યુ છે કે સુશઆંતના જવાનો આઘાત તેમનો એક ફૅન સહન ના કરી શકતા તેણે પણ આત્મહત્યા કરી છે.
સુશાંતના મોતનો આઘાત લાગ્યો ફૅનને
સુશાંતના ફૅને કર્યો આપઘાત
પરિવારે શરૂ કરી સુશાંતના નામની વૅબસાઇટ
સુશાંતનો આ ફૅન નાની ઉંમરનો જ હતો અને તે 10મા ધોરણમાં ભણતો હતો. તેણે સ્યુસાઇડ નોટમાં લખ્યુ છે કે, જો સુશાંત આત્મહત્યા કરી શકે તો હું કેમ નહી. સુશાંતની મોતની ખબર સાંભળતા તેનો આ ફૅન દંગ રહી ગયો હતો અને મોતને વ્હાલુ કર્યુ હતુ.
સુશાંતના મોત બાદ બોલિવૂડમાં નેપોટીઝમને લઇને લોકો ખૂબ ગુસ્સામાં છે. સોશિયલ મીડિયા પર સુશાંતના ફેન્સ કરન જોહર, આલિયા ભટ્ટ અને સલમાન ખાન પર નિશાન સાધી રહ્યા છે. સુશાંતના ચાહકો નેપોટીઝમનો વિરોધ જતાવી રહ્યા છે.
સુશાંતના પરિવારે શરૂ કરી વેબસાઇટ
લોકોના મનમાં સુશાંતના વિચારોને હંમેશા માટે જીવતા રાખવા માટે તેના પરિવારજનોએ એક વેબસાઇટ બનાવી છે. આ વેબસાઇટ પર સુશાંતના વિચારો પોસ્ટ કરવામાં આવશે. સુશાંત સિંહ રાજપૂતના સોશિયલ મીડિયા અકાઉન્ટથી આ વાતની જાણકારી આપવામાં આવી છે.
તમને જણાવી દઇએ કે, એન્જીનીયરિંગનુ ભણતર અધૂરુ છોડીને સુશાંત મુંબઇ તેના સપના પૂરા કરવા આવ્યો હતો. ટીવી સિરીયલ કિસ દેશ મે હે મેરા દિલ દ્વારા તેમણે એક્ટિંગ ક્ષેત્રે પદાર્પણ કર્યુ હતુ. એકતા કપૂરની સિરીયલ પવિત્ર રિશ્તા દ્વારા સુશાંત ઘરે ઘરે જાણીતો થયો હતો. બાદમાં સુશાંતે બોલિવૂડની રાહ પકડી. કાઇપો છે ફિલ્મથી તેણે પોતાના બોલિવૂડ કરિયરની શરૂઆત કરી હતી.