સુશાંત સિંહ રાજપૂતના મોતને આટલા દિવસ વિતી ગયા હોવા છતા હજી પણ એવું જ લાગે છે કે તે આપણી વચ્ચે જ છે. તેમના ગયાની ખોટ ક્યારેય નહી પૂરી શકાય, સુશાંતના ચાહકો તેમને પ્રેમથી યાદ કરે છે. સુશાંતની એક ફૅને તેને વિશેષ શ્રદ્ધાંજલિ આપી છે, તેણે સુશાંતના નામે તારો ખરીદી લીધો છે.
સુશાંતની ફૅને તેન નામે ખરીદ્યો તારો
આકાશમાં સુશાંત હંમેશા ચમકતો રહેશે
સુશાંતને આપી વિશેષ શ્રદ્ધાંજલિ
સુશાંતને ગેલેક્સી, સ્પેસ, તારાઓનો શોખ હતો. તેણે પોતે પણ ચંદ્ર પર પોતાની જમીન ખરીદી લીધી હતી અને તેને જોવા માટે 55 લાખ રૂપિયાનુ ટેલિસ્કોપ પણ ખરીદી લીધુ હતું. તેમના ઘરેથી તે ચાંદ પર પોતાની જમીન જોતા રહેતા હતા. હવે તેમની ફેને તેમના નામે એક તારો ખરીદી લીધો છે.
સુશાંતની આ ફૅને ટ્વિટર પર આ માહિતી શૅર કરી હતી, તેની સાથે સર્ટીફિકેટ પણ શૅર કર્યુ હતુ અને આ રીતે વિશેષ શ્રદ્ધાંજલિ આપી હતી. હવે સુશાંત સિંહ રાજપૂત નામનો આ તારો હંમેશા ચમકતો રહેશે.
રક્ષાએ શેર કરેલા પ્રમાણપત્ર મુજબ RA.22.121 પોઝિશનના તારાનું નામ સુશાંતસિંહ રાજપૂત રાખવામાં આવ્યું છે. આ ટ્વીટ સોશિયલ મીડિયા પર હાલ ખુબજ વાયરલ થઈ રહ્યું છે.આ રીતે સુશાંતના પ્રશંસકે એક અલગ અંદાજથી તેને યાદ કરીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.