બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂત કેસને એક નવો વળાંક મળ્યો છે. અભિનેતાના મૃત્યુના દોઢ મહિના બાદ, પરિવારે મૌન તોડ્યું હતું અને પિતા કે.કે.સિંહે બિહારના પટણા હેઠળ એક્ટ્રેસ રિયા ચક્રવર્તી સામે આત્મહત્યા કરવા સહિતની વિવિધ કલમો હેઠળ એફઆઈઆર નોંધાવી હતી.
સુશાંત સિંહ રાજપૂત કેસને એક નવો વળાંક મળ્યો
રિયા ચક્રવર્તી સાથે રિલેશનશીપ તોડવા માગતો હતો સુશાંત
હવે આ મામલાની તપાસ માટે બિહાર પોલીસ મુંબઈ પહોંચી ગઈ છે. સુત્રોના જણાવ્યા અનુસાર બિહાર પોલીસે સુશાંતની પૂર્વ ગર્લફ્રેન્ડ અંકિતા લોખંડેનું નિવેદન નોંધ્યું છે.
બિહાર પોલીસે પૂર્વ ગર્લફ્રેન્ડ અંકિતા લોખંડેનું નિવેદન નોંધ્યું
સૂત્રોના જણાવ્યા અનુસાર અંકિતા લોખંડેએ બિહાર પોલીસને જણાવ્યું હતું કે, ફિલ્મ 'મણિકર્ણિકા'ના પ્રમોશન દરમિયાન સુશાંતસિંહે વિશ કરવા માટે મેસેજ કર્યો હતો ત્યારે બંને વચ્ચે ચેટ પર જ ઘણી વાતો થઈ હતી. તે પછી, ખૂબ જ ઇમોશનલ થઇને સુશાંતે અંકિતાને કહ્યું, "તે આ રિલેશનશીપથી ખૂબ નારાજ છે, તે હવે તેનો અંત લાવવા માંગે છે, કારણ કે રિયા ચક્રવર્તી તેને ખૂબ જ પરેશાન કરી રહી છે."
સૂત્રોએ જણાવ્યું છે કે અંકિતાએ બિહાર પોલીસ સાથે આ ચેટ શેર કરી છે. આ સિવાય રિયા ચક્રવર્તી અને સુશાંત વચ્ચેની ચેટ બિહાર પોલીસ સાથે શેર કરવામાં આવી છે. તેના આધારે હવે બિહાર પોલીસ તપાસ કરી પુરાવા એકત્રિત કરી રહી છે.
Truth wins નામનું કર્યું છે ટ્વીટ
સુશાંત સિંહ રાજપૂતની એક્સ ગર્લફ્રેન્ડ અંકિતા લોખંડે સુશાંતના નિધનથી ખૂબ પરેશાન છે, તે સદમામાંથી બહાર નથી આવી શકી અને તે પ્રયાસ કરી રહી છે કે સુશાંતને ન્યાય મળે. જ્યારે કે કે સિંહે ફરિયાદ દાખલ કરી ત્યારે અંકિતાએ પણ ખુશી જતાવતા ટ્વિટ કરી છે અને લખ્યુ કે, Truth wins.