સુશાંત સિંહ રાજપૂતના મોત પર જેટલા ફેન્સ અને પરિવાર દુખી હતો તેટલો જ દુખી તેનો ડોગી ફઝ પણ હતો. એક્ટરના ગયા બાદ પરિવારવાળા ફઝને પટના લઇ ગયા હતા. જ્યારે સુશાંતના ફાર્મહાઉસ પર ત્રણ ડોગ કે જેમનુ નામ અમર, અકબર અને એન્થની છે તેમના માટે જબરજસ્ત કામ કર્યુ છે.
સુશાંતના ફાર્મહાઉસ પર છે 3 ડોગ
રોટવિલર્સ માટે ટ્રાન્સફર કર્યા હતા રૂપિયા
રિયાનો બર્થ ડે ફાર્મહાઉસ પર થયો સેલિબ્રેટ
કેરટેકર રઇસે જણાવ્યું કે, સુશાંતે મોતના એક દિવસ પહેલા પોતાના 3 રૉટવિલર અમર અકબર અને એન્થનીના નામ પર ફન્ડ ટ્રાન્સફર કર્યુ હતુ. ફજ સિવાય આ 3 ડોગ તેના ફાર્મહાઉસ પર રહે છે.
રઇસે કહ્યું કે, 14 જૂન બપોરે જ્યારે મે ટીવી પર સુશાંતના મોતની ખબર જોઇ ત્યારે મને વિશ્વાસ ન થયો, એક દિવસ પહેલા જ 3 ડોગ માટે મારા અકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કર્યા હતા. તે ફાર્મહાઉસ પર શિફ્ટ થઇને અહીં ઓર્ગેનિક ફાર્મિંગનુ પ્લાનિંગ કરી રહ્યાં હતા.
રઇસે સુશાંતના ફાર્મહાઉસ વિઝીટ વિશે જણાવ્યું કે, સુશાંત સર અવાર નવાર ફાર્મહાઉસ પર આવતા હતા. ઓક્ટોબર 2019માં યુરોપ ટ્રીપ બાદ તેમની તબિયત થોડી ખરાબ થઇ હતી. તો તે 2 મહિના સુધી ફાર્મ હાઉસ પર નહોતા આવ્યા. તેમણે 2018માં ફાર્મહાઉસ રેન્ટ પર લીધુ હતુ અને જ્યારે કોન્ટ્રાક્ટ રિન્યુઅલની વાત આવી તો તેને ખરીદવા ઇચ્છતા હતા.
રઇસે જણાવ્યુ કે માર્ચ બાદ તે અહીંયા 2-3 મહિના સુધી રહેવા માંગતા હતા પરંતુ તેવુ ન થઇ શક્યું. રિયા અને તેના પિતાના બર્થડે જેવા ઓકેશન ફાર્મહાઉસમાં જ મનાવવામાં આવતા હતા. રિયાનો બર્થ ડે ઉજવવા સુશાંત સર અહી આવ્યા હતા અને તેમની સાથે સેમ્યુઅલ મિરાન્ડા, શ્રુતિ મોદી અને બીજા પણ કેટલાક મિત્રો હતા.