સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા મામલે એમ્સની ફોરેન્સિક રિપોર્ટ આવી ગઇ છે. સુત્રો દ્વારા રિપોર્ટમાં હત્યા થઇ હોવાની વાતને નકારી કાઢવામાં આવી છે. રિપોર્ટમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યુ છે કે એક્ટરની મોત આત્મહત્યા છે. ત્યારે શ્વેતા સિંહ કીર્તિએ પોતાનુ રિએક્શન આપ્યુ છે.
સુશાંત ડેથ કેસમાં ખુલાસો
શ્વેતાએ કર્યુ સુશાંત માટે ટ્વિટ
સુશાંતના ફેન્સમાં નારાજગીનો માહોલ
સુશાંતની બહેને ટ્વિટ કરતા જણાવ્યું કે, અમે જીતીશું. આ બે શબ્દોમાં જ શ્વેતાએ સુશાંતને ન્યાય આપવાની લડાઇ પર વિશ્વાસ બતાવ્યો છે. તેમના આ શબ્દો જ વિશ્વાસ દર્શાવે છે. અત્યાર સુધી સુશાંત વિશે જે પણ પ્રકારની વાતો સામે આવી છે તેમાં શ્વેતા પથ્થરની જેમ ઉભી રહી છે. તેના ભાઇ માટે ન્યાય માંગી રહી છે. યુઝર્સ પણ શ્વેતાનું સમર્થન કરી રહ્યાં છે.
ટ્વિટર પર એમ્સના રિપોર્ટ બાદ ફેન્સની નારાજગી દેખાઇ રહી છે. સુશાંતના ફેન્સે 302 હેઠળ દોષીઓને સજા આપવા માટે ફરી એક વાર અવાજ ઉઠાવ્યો છે. ટ્વિટર પર #302ForSSRKillers ટ્રેન્ડ કર્યુ છે.
સૂત્રો દ્વારા મળતી જાણકારી અનુસાર, કેસમાં કોઇ એવો એન્ગલ સામે આવ્યો નથી જેનાથી સાબિત થાય. છેલ્લા 57 દિવસની તપાસમાં કોઇ પણ એવુ તથ્ય બહાર નથી આવ્યુ જે ઇશારો કરે કે સુશાંતની હત્યા કરી દેવામાં આવી છે.
સુશાંત સિંહ રાજપૂતની બોડી 14 જૂનના રોજ તેના મુંબઇ સ્થિત ઘરમાં લટકતી જોવા મળી હતી. ફોરેન્સિક અધિકારીઓએ તેમનુ કામ કરી દીધુ છે હવે તપાસ એજન્સીઓની જવાબદારી છે કે સુશાંત કેસ પર કોઇ લોજીકલ નિર્ણય આપે.
હવે આગળ થશે તપાસ?
મહત્વનુ છે કે AIIMS મેડિકલ બોર્ડે સોમવારે સીબીઆઇ સાથે પોતાનો રિપોર્ટ કૂપર હોસ્પિટલ દ્વારા આપવામાં આવેલ રિપોર્ટ સાથે સરખાવ્યુ. સુશાંત કેસમાં મર્ડરના પણ દરેક એન્ગલથી તપાસ કરવામાં આવી પણ તેવો કોઇ પણ પ્રકારનો રિપોર્ટ સામે આવ્યો નથી. હવે સુશાંતને કોણે આત્મહત્યા માટે ઉશ્કેર્યો હતો તે જોવાનુ રહેશે.