સુશાંત સિંહ રાજપૂતે આત્મહત્યા કરી બાદ તેમના નજીકના મિત્રો તેમજ પરિવાર દ્વારા કહેવામાં આવ્યુ કે સુશાંત આત્મહત્યા કરી શકે જ નહી. તે એટલુ નબળુ મન નોહોતો ધરાવતો કે આ રીતે મોતને વ્હાલુ કરી લે. સુશાંતના પોસ્ટ મોર્ટમમાં ખુલાસો થયો હતો કે તેની મૃત્યુ ફાંસી દ્વારા જ થઇ છે. બાદમાં તેના શરીરના કેટલાક અવયવોને ડિટેઇલ્ડ પોસ્ટમોર્ટમ માટે જેજે હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા અને તેનો રિપોર્ટ ફણ આવી ગયો છે.
સુશાંતના ઓર્ગન જેજે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા
ફાઇનલ રિપોર્ટ બાદ થયો મોટો ખુલાસો
સુશાંતનો છેલ્લો ડિટેઇલ્ડ રિપોર્ટમાં મળી જાણકારી
જેજે હોસ્પિટલમાં સુશાંતના આંતરડા સહિત આંતરિક અવયવોનુ ડિટેઇલ્ડ પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યુ હતું. તેના રિપોર્ટમાં સુશાંતની મૃત્યુ ફાંસીને કારણે જ થઇ છે અને મૃત્યુ પહેલા કોઇ પણ પ્રકારનો સંઘર્ષ, તેણે નથ કર્યો. તેના નખમાંથી પણ કોઇ પ્રકારના અનવોન્ટેડ પદાર્થ નથી મળ્યા તેમજ શરીરમાંથી પણ ઝેર કે બીજો કોઇ પદાર્થ મળી આવ્યો નથી.
સુશાંતના મોતથી પરિવાર, બોલિવૂડ અને તેના ફેન્સ દરેકના દિલ હચમચી ગયા હતા. તેના જવાનુ દુખ દરેકને એટલુ બધુ લાગ્યુ કે સોશ્યલ મિડીયા પર તેને અલગ અલગ રીતે શ્રદ્ધાંજલિ આપવાનુ શરૂ કરી દીધું હતું. બોલિવૂડમાં પણ સુશાંતના મૃત્યુ બાદ નેપોટીઝમ નામની જંગ શરૂ થઇ ગઇ છે અને મોટા મોટા કલાકાર આ જંગમાં સામેલ થઇ ગયા છે.
તમને જણાવી દઇએ કે સુશાંત સિંહ રાજપૂતે 14 જૂનના રોજ તેમના મુંબઇ સ્થિત ઘરે ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી. તેમને આર્થિક કોઇ પણ પ્રકારની મુશ્કેલી ન હતી. તેઓ ડિપ્રેશનથી જઝૂમી રહ્યાં હતા. એક પછી એક ઘણી બધી હિટ ફિલ્મો આપ્યા બાદ સુશાંતને કઇ વાતનું ડિપ્રેશન હતુ તે જાણી શકાયુ નથી.
સુશાંત ફિલ્મો સિવાય ત્રણ કંપનીના પણ માલિક હતા, જેમાંથી એક કંપનીનું નામ તેમણે તેમની કથિત ગર્લફ્રેન્ડ રિયાના નામ પર રાખ્યુ હતું. તે સિવાય તેમની પાસે બાઇક અને કારનું કલેક્શન હતુ અને ચંદ્ર પર પોતાની જમીન પણ હતી. માત્ર ડિપ્રેશનના કારણે તેમણે આ ફાની દુનિયાને અલવિદા કહી દીધું.