સુશાંત સિંહ રાજપૂતનો કેસ જે રીતે આગળ વધી રહ્યો છે, તેને જોઈને એવું લાગી રહ્યું છે કે, ટૂંક સમયમાં આ મામલા પરથી પડદો ઉઠી શકે છે. સુશાંતના કેસમાં એક પછી એક ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યાં છે. તો હવે સુશાંતના એક્સ આસિસ્ટન્ટ અંકિત આચાર્યે ચોંકાવનારી વાત જણાવી છે. અંકિત એક સમયે સુશાંતની સાથે 24 કલાક રહેતો હતો પરંતુ રિયાએ તેને કાઢી મૂક્યો હતો. અંકિતે દાવો કર્યો છે કે સુશાંત સુસાઈડ કરી શકે નહીં, આ એક હત્યા છે.
સુશાંતના કેસમાં નવો ખુલાસો
તેના એક્સ આસિસ્ટન્ટે કર્યો દાવો
સુશાંતની હત્યા તેના ડોગી ફઝના બેલ્ટથી કરવામાં આવી હતી
અંકિત આચાર્ય સુશાંતની સાથે જ રહેતો હતો. એક રિપર્ટ પ્રમાણે, અંકિતે દાવો કર્યો છે કે, સુશાંત સુસાઈડ કરી જ ન શકે. તેણે કહ્યું કે, હું સુશાંત ભૈયાનને ખૂબ જ સારી રીતે જાણું છું. મને વિશ્વાસ નથી થઈ રહ્યો કે આ સુસાઈડ કેસ છે. આ નિશ્ચિત રૂપથી એક હત્યા છે.
અંકિતે આગળ કહ્યું- જો અમે માની પણ લઈએ કે સુશાંતે આત્મહત્યા કરી છે તો પણ જે વ્યક્તિ સુસાઈડ કરે તેના ગળા પર યુ શેપનો નિશાન પડે છે જ્યારે કોઈ તમારું ગળું દબાવે ત્યારે ઓ શેપનો નિશાન પડે છે. સુશાંતના ગળા પર ઓ શેપનો નિશાન હતો. જ્યારે કોઈ સુસાઈડ કરે છે ત્યારે તેની આંખ અને જીભ બહાર આવી જાય છે પરંતુ સુશાંતના કેસમાં આવું કંઈ જ ન થયું. આ એક મર્ડર કેસ છે.
A post shared by fudge (@fudge_the_pro_in_the_pro_team) on
અંકિતે ચોંકાવનારું નિવેદન આપતા કહ્યું-જે દિવસે સુશાંતની હત્યા થઈ ત્યારે તેના ગળા પર કઈ વસ્તુનો નિશાન હતો હું તે પણ જણાવી શકું છું. તેના ગળા પર સુશાંત ભૈયાના ડોગી ફઝના બેલ્ટનો નિશાન હતો. મારી પાસે ભૈયાની બોડીના ફોટોઝ છે અને મને એવું જ લાગે છે કે ગુનેગારોને પણ એ જ બેલ્ટથી ગળું દબાવીને મારી નાખવા જોઈએ.
ન્યાયી સુનાવણી માટે હાકલ કરતા અંકિતે દોષિતોને સજા ફટકારવાની અને મૃત્યુદંડની સજા કરવાની પણ વિનંતી કરી છે. તેણે કહ્યું કે હું કેસ સીબીઆઈને ટ્રાન્સફર કરવાથી ખૂબ જ ખુશ છું. મને આશા છે કે સુશાંત સરને ન્યાય મળે. તેણે કહ્યું કે, હું ઈચ્છું છું કે દોષીઓને ફાંસી આપવામાં આવે.