સુશાંત સિંહ રાજપૂત કેસમાં એક બાદ એક નવા ખુલાસા થવા લાગ્યા છે. હોસ્પિટલની એક રિપોર્ટ અનુસાર ડૉક્ટર્સે કથિત રીતે મુંબઇ પોલિસને જણાવ્યું છે કે, પોસ્ટમોર્ટમના 10થી12 કલાક પહેલા સુશાંતનું મૃત્યુ થઇ ચૂક્યું હતું. સુશાંતની બોડીનુ પોસ્ટમોર્ટમ 14 જૂનની રાત્રે 11.30 વાગે થયુ હતુ.
સુશાંતની મોત બાદ મોટો ખુલાસો
કૂપર હોસ્પિટલમાં થયુ હતુ પોસ્ટમોર્ટમ
12 કલાક પહેલા થયુ હતુ મોત
સુશાંત કેસમાં સીબીઆઇ તપાસનો ચોથો દિવસ છે. આજના દિવસની તપાસને મહત્વની માનવામાં આવે છે. કહેવામાં આવી રહ્યું છે કે, આજે રિયા ચક્રવર્તી સાથે પૂછપરછ કરી શકે છે. તો બીજી તરફ રિયાના વકીલે દાવો કર્યો છે કે રિયા કે તેના પરિવારને કોઇ પણ પ્રકારનું સમન પાઠવવામાં નથી આવ્યું.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે,સુશાંતના મૃત્યુના સમયે તેના રુમમાં એક કુર્તો હતો તેની તપાસ કરવામાં આવી તો તે કુર્તો 200 કિલો વજન ખમી શકે છે. તે ફાયબરની તપાસ અને સુશાંતના ગળા પર મળેલા ફાયબર એક જ છે કે કેમ તેની પણ તપાસ કરવામાં આવશે.
તમને જણાવી દઇએ કે, સુશાંતના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં તેની મોતનો શું સમય હતો તેનો ઉલ્લેખ કરવામાં નહોતો આવ્યો, હવે આ રિપોર્ટ પર પોતાની ટિપ્પણી આપવા માટે 4 ડૉક્ટર્સની ટીમ બનાવવામાં આવી છે. આ 4 ડૉક્ટર રિપોર્ટ તપાસીને પોતાનો ફાયનલ રિપોર્ટ સબમિટ કરાવશે.