સુશાંત સિંહ રાજપૂતના આપઘાત બાદથી વિવાદ સતત વધી રહ્યો છે. સુશાંતના કેસની તપાસ કરવા માટે મુંબઈ અને બિહારની પોલીસ સામસામે આવી ગઈ છે. જોકે હવે તો કેસમાં CBI તપાસ પણ શરુ થવા જઈ રહી છે. જોકે આ ઘટનાક્રમથી શિવસેના ખીજાઈ ગઈ છે. શિવસેનાએ સામનામાં નીતીશ કુમાર અને બિહાર પોલીસ પર પ્રહાર કર્યા છે.
સુશાંત સિંહ રાજપૂત કેસમાં ખીજાયું શિવસેના
સામનામાં નીતીશ કુમાર અને બિહાર પોલીસ પર સાધ્યું નિશાન
બિહારે નહીં મુંબઈએ ખ્યાતિ અપાવી : શિવસેના
એક્ટર સુશાંત સિંહ રાજપૂત મામલે સીબીઆઈ તપાસ મામલે મુંબઈ અને બિહાર પોલીસ સામસામે આવી ગઈ છે. મહારાષ્ટ્ર સરકારે સીબીઆઈ તપાસ શરુ થવા પર નીતીશ કુમાર પર નિશાન તાક્યું છે.શિવસેનાએ પોતાના મુખપત્ર સામનામાં એક અહેવાલ છાપ્યો છે જેમાં કહેવામાં આવ્યું છે કે સરકારે સુશાંત સિંહે રાજપૂત મામલામાં હસ્તક્ષેપ ન કરવું જોઈએ. કેટલાક વર્ષોથી સુશાંત મુંબઈકર હતા. મુંબઈએ તેમને નામ અને ખ્યાતિ અપાવી. બિહાર સંઘર્ષના દિવસોમાં તેમના સાથે ઉભું ન રહ્યું.
લેખમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે સુશાંત સિંહ રાજપૂત પોતાના જીવનમાં ક્યારેય બિહાર મૂળના હોવાની વાત પર અથવા બિહાર કનેક્શન પર ક્યારે ગર્વ ન કર્યું. બિહાર પોલીસ ઇન્ટરપોલ નથી. મુંબઈ પોલીસ તપાસ કરી રહી છે અને કોઈ બીજા રાજ્યએ તેમાં દખલ કરવી જોઈએ નહીં. દરેકને સત્ય જાણવાનો અધિકાર છે પરંતુ તે જરૂરી નથી કે બિહાર પોલીસ અને સીબીઆઈ જ સત્યને બહાર લાવી શકે છે.
શિવસેના આટલા જ પર જ અટક્યું. શિવસેનાએ બિહારના પોલીસવડા પર પણ હુમલા કરી નાખ્યા. મીડિયા અહેવાલનો હવાલો લઈને શિવસેનાએ બિહાર પોલીસ મહાનિદેશક ગુપ્તેશ્વર પાંડે પર આરોપ લગાવ્યો કે તે ભાજપ અને જેડીયૂની ટિકિટ પર ચૂંટણી લડવા માંગતા હતા. શિવસેનાએ કહ્યું કે આ હાસ્યાસ્પદ છે કે જે ભાજપની ઉમેદવારી ( સદસ્યતા ) સ્વીકાર કરી ચુક્યો હોય તે મુંબઈ પોલીસ પર સવાલ ઉઠાવે છે.