થિયેટરથી એક્ટિંગ કરિયર શરૂ કર્યા બાદ નાના પરદે થઈને મોટા પરદા સુધી પહોંચનાર સુશાંતસિંહ રાજપૂતે અત્યાર સુધી દરેક ફિલ્મમાં પોતાની એક્ટિંગથી સૌને પ્રભાવિત કર્યા છે. તેની તાજેતરની ફિલ્મ 'સોનચીડિયા' બોક્સ ઓફિસ પર એટલી ન જામી, પરંતુ 'છિછોરે'એ સારો બિઝનેસ કર્યો. આ ફિલ્મની સફળતાએ સુશાંતને નવી ગતિ આપી.
થિયેટરથી એક્ટિંગ કરિયર શરૂ કર્યું હતું સુશાંતે
ઈન્ડસ્ટ્રીમાં સારું કામ કરીને સપનાઓ કરવા છે પૂરા
વીતી ગયેલી વાતો યાદ નથી કરતો સુંશાત
ડિજિટલ પ્લેટફોર્મ પર જેકલીન ફર્નાન્ડીઝની 'ડ્રાઇવ' રિલીઝ થઇ. ત્યાર બાદ 'દિલ બેચારા' રિલીઝ થશે, જે હોલિવૂડની હિટ ફિલ્મ "ધ ફોલ્ટ ઇન અવર સ્ટાર્સ'ની રિમેક છે. કરિયરની શરૂઆતમાં સુશાંતે યશરાજ બેનર્સ સાથે કેટલીક ફિલ્મ કરી, પરંતુ એમ કહેવાય છે કે થોડી ફિલ્મ બાદ બંને વચ્ચે અણબનાવ થયો. સુશાંત કહે છે કે વીતી ગયેલી વાતોનો હું વિચાર કરતો નથી. હું એક એવી વ્યક્તિ છું, જેનાં ઘણાં બધાં સપનાં છે અને હું આગામી એક વર્ષમાં તે પૂરાં કરવા ઇચ્છું છું. હું આ સપનાંઓને પૂરા કરવાની દિશામાં છેલ્લાં કેટલાંય વર્ષો દરમિયાન મારા કામના કારણે આગળ વધી શકું છું. આ જ કારણ છે કે મને લાગે છે કે અત્યાર સુધી મેં જે નિર્ણય લીધો તે યોગ્ય છે.
ફિલ્મની સફળતા નિષ્ફળતાની અસર દરેક કલાકાર પર થાય છે
ફિલ્મની સફળતા નિષ્ફળતાની અસર દરેક કલાકાર પર થાય છે. ફિલ્મની કમાણીથી તેની ગુણવત્તાની જાણ થાય છે. જો એક બીજા પાસેથી ફિલ્મનાં વખાણ સાંભળીને લોકો તે જોવા પહોંચે છે તો ફિલ્મ સારી હોવાનું જાણવા મળે છે. સુશાંત કહે છે કે મેં અત્યાર સુધી મારા મનને સંતુલિત રાખવાનું શીખ્યું છે. સફળતા નિષ્ફળતાનો વધુ પ્રભાવ પડતો નથી. રિલીઝવાળા વીક એન્ડમાં ફિલ્મની કમાણી સારી હોય તો ખુશી થાય, જો ફિલ્મની કમાણી સારી ન હોય તો દુખ પણ થાય, પરંતુ હું કોઇ પણ પરિણામમાં સોમવાર સુધીમાં સામાન્ય થઇ જાઉં છું.