સુશાંત સિંહ રાજપૂત કેસમાં એમ્સની પેનલ દ્વારા સીબીઆઈને સોંપવામાં આવેલી રિપોર્ટ એક મીડિયા હાઉસને મળી છે. જેમાં મોટો ખુલાસો કરવામાં આવ્યો છે. સૂત્રોના જણાવ્યાનુંસાર સુશાંતના શરીરમાં કોઈ ઝેર જોવા મળ્યું નથી.
AIIMSના રિપોર્ટમાં મહત્વનો ખુલાસો
સુશાંતને ઝેર આપવામાં આવ્યાની વાતને સમર્થન નહીં
કુપર હોસ્પિટલના તબીબોને ક્લીનચીટ નહીં
એમ્સના ડૉક્ટરોને સુશાંતના શરીરમાં કોઈ પણ પ્રકારના ઓર્ગેનિક ઝેર નથી મળ્યું. સીબીઆઈની તપાસથી અલગ નથી રિપોર્ટ, જોકે હજું કપૂર હોસ્પિટલના ડૉક્ટરો સંપૂર્ણ રીતે ક્લીનચીટ આપી શક્યા નથી. કપૂર હોસ્પિટસની રિપોર્ટને વિસ્તારથી જોવાની જરુર છે. AIIMSના રિપોર્ટમાં મહત્વનો ખુલાસો થતા ખળભળાટ મચ્યો છે. સુશાંતને ઝેર આપવામાં આવ્યાની વાતને સમર્થન મળ્યું નથી.
ઉલ્લેખનીય છે કે સુશાંતના પરિવાર તરફથી તેમની ફેમિલીના વકીલે સુશાતના મોતને લઈને ઝેર આપ્યા હોવાની શંકા વ્યક્ત કરી હતી. પરંતુ એમ્સની રિપોર્ટમાં એ વાત સ્પષ્ટ થઈ ગઈ છે કે તેમને કોઈ પણ પ્રકારનું ઝેર આપવામાં આવ્યું નતી. સુશાંતના પરિવારે સુશાંતની મોતને હત્યા ગણાવી છે. પિતાએ દિકરાને ઝેર આપ્યા હોવાનો આરોપ લગાવ્યો હતો.