બોલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મોતનું રહસ્ય આવતી કાલે ખુલી શકે છે. આવતા 24 કલાકમાં વિસરા રિપોર્ટ બાદ તેના મોતનું સત્ય સામે આવી જશે.
સુશાંતની હત્યા કે આત્મહત્યા?
વિસરા રિપોર્ટથી ખૂલશે રાઝ
શુક્રવારે આવી શકે વિસરાનો રિપોર્ટ
એમ્સના ફોરેન્સિક નિષ્ણાંત ડો. સુધીર ગુપ્તાના નેતૃત્વમા ડોક્ટરોની પેનલ એક મહત્વની બેઠક યોજશે. જેમાં સુશાંત સિંહ રાજપૂતની ઓટોપ્સી રિપોર્ટ અને વિસરા પરીક્ષણ રિપોર્ટ પર ચર્ચા કર્યા બાદ તે પેનલ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મોત પર પોતાનો અંતિમ અભિપ્રાય આપશે. આ કેસમાં જે ફોરેન્સિક નિષ્ણાંતોએ સુશાંત સિંહ રાજપૂતના વિસરાની બીજીવાર તપાસ કરી છે, તે શુક્રવારે રાત સુધી પોતાનો રિપોર્ટ એમ્સના ડોક્ટરો સમક્ષ રજૂ કરશે.
પરિવારે કહ્યું આ હત્યા છે, ગર્લફ્રેન્ડ પર મૂક્યો આરોપ
વિસરા રિપોર્ટથી નક્કી થશે કે સુશાંતને ઝૈર અપાયું હતું કે નહીં. આ રિપોર્ટ સુશાંતના 20 ટકા વિસકરાના તપાસ પર તૈયાર કરાયો છે. સુશાંતના 80 ટકા વિસરા મુંબઈ પોલીસે પોતાની તપાસમાં ઉપયોગ કર્યો હતો. પરિવારનું કહેવું છે કે એક્ટરે સુસાઈડ કર્યું નથી. આ હત્યા છે. પરિવારે સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીને કેસની મુખ્ય આરોપી ગણાવી છે.
આ કેસમાં એમ્સની ટીમને સુશાંતના ગળા પર પડેલા નિશાનને લઈને પણ શંકા છે. સુશાંતનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ પહેલાં પણ અનેક પ્રશ્નો સર્જી ચૂક્યો છે. એક્ટરના પરિવારને પોસ્ટમોર્ટમ રિપોર્ટ પર પણ પ્રશ્નો કર્યા છે. કાલે આવનારો વિસરા રિપોર્ટ અનેક ચીજો સ્પષ્ટ કરે તેવી શક્યતા છે. સુશાંતનો પરિવાર સતત ન્યાયની માંગ કરી રહ્યો છે. સુશાંત કેસને ડ્રગ્સ એંગલે નવો વળાંક પણ આપ્યો છે.