બોલિવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપુતના મોત બાદ તેમના માટે ન્યાય માંગનારની સંખ્યામાં વધારો થઇ ગયો છે. સુશાંત હવે આપણી વચ્ચે નથી પરંતુ આપણા દિલમાં તે હંમેશા રહેશે. બાળકોથી લઇને વૃદ્ધો સુધી બધા જ લોકો ઇચ્છે છે કે સુશાંતને ન્યાય મળે. અભિનેતાને માન આપવા માટે ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં તેમને દાદા સાહેબ ફાળકે ઍવોર્ડથી સન્માનિત કરવામાં આવશે.
સુશાંતને મળશે દાદા સાહેબ ફાળકે ઍવોર્ડ
મરણોપરાંત અભિનેતાનું કરવામાં આવશે સન્માન
બોલિવૂડ જગતનું સર્વશ્રેષ્ઠ સન્માન
સુશાંતને થોડા સમય પહેલા જ કેલિફોર્નિયા સ્ટેટ એસેમ્બલિએ દુનિયા અને સિનેમાજગતમાં યોગદાન આપવા માટે સન્માનિત કર્યા હતા. સુશાંતની મહેન શ્વેતા સિંઘ કીર્તિએ એવોર્ડ સાથે તસવીર શૅર કરી હતી, 15 ઓગસ્ટના રોજ સુશાંતને આ સન્માન આપવામાં આવ્યું હતું.
સુશાંત 11 વર્ષ સુધી મનોરંજન ઉદ્યોગમાં કાર્યરત રહ્યાં. તેમણે કારકીર્દિની શરૂઆત નાના પરદાથી કરી. 5 વર્ષ ટેલિવીઝન અને 6 વર્ષ સુધી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કર્યું. 2017માં મહેન્દ્રસિંહ ધોની પર આધારિત ફિલ્મ માટે મેલબોર્નમાં તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમને ક્યારેય આઇફા કે ફિલ્મફેર ઍવોર્ડ આપવામાં નહોતો આવ્યો.
સીબીઆઇ અને સુશાંત
સુશાંત સિંહ રાજપૂત મોત મામલે સીબીઆઇની ટીમ દરેક એન્ગલથી તપાસ કરી રહી છે. જેટલા પણ લોકો સુશાંત સાથે જોડાયેલા છે તે તમામ લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે ત્યારે એક મહત્વનો ખુલાસો થયો છે. જેમાં સુશાંતે તેની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી પાછળ કેટલા રૂપિયા ખર્ચ કર્યા છે તે સામે આવ્યું છે.
સુશાંતના નાણાકીય લેણદેણ પર તપાસ કરી રહેલ ઓફિસર નમ્રતા કનોડિયાએ જણાવ્યું છે કે સુશાંત સિંહ રાજપૂતના ખાતામાંથી છેલ્લા 10 મહિનામાં 4.5 કરોડ કરતા વધુ રૂપિયાની લેવડદેવડ થઇ છે. આ રૂપિયા પ્રવાસ, આરામદાયક લાઇફ સ્ટાઇલ અને આધ્યાત્મિક પ્રાર્થનાઓ પાછળ વપરાયા છે. સૌથી મોટી વાત તો એ છે કે આ રૂપિયાનો સૌથી મોટો હિસ્સો રિયા અને તેના ભાઇ શોવિક પાછળ વપરાયો છે.