અભિનેતા સુશાંત સિંહ રાજપૂતનાં મોતથી આખું બોલિવૂડ હચમચી ઉઠ્યું છે. જેને બોલિવૂડનો મોટો સ્ટાર માનવામાં આવતો હતો તે અભિનેતાએ પોતાનું જીવન ટુંકાવ્યું છે. હવે સમાચાર મળી રહ્યા છે કે સુશાંત સિંહ રાજપૂત આ વર્ષે નવેમ્બરમાં લગ્ન કરવા જઇ રહ્યો છે.
સુશાંતના ભાઈએ કહ્યું તે લગ્ન કરવાનો હતો
ઘરમાં લગ્નની તૈયારીઓ ચાલી રહી હતી
જાણો કોની સાથે કરવા જઈ રહ્યો હતો લગ્ન
સુશાંત સિંહ રાજપૂતના પિતરાઈ ભાઈ પન્ના સિંહે વાતચીત દરમિયાન એક ન્યૂઝ ચેનલને કહ્યું છે કે અભિનેતા ખૂબ જલ્દી જ લગ્ન કરવા જઇ રહ્યો છે. પન્ના સિંહના જણાવ્યા અનુસાર ઘરે લગ્નની તૈયારીઓ પણ જ શરૂ થઈ ગઈ હતી.
સુશાંતનો જન્મ બિહારમાં થયો હતો. તેથી સુશાંતના ઘણા નજીકના મિત્રોએ એક્ટરના લગ્નમાં આવવાની તૈયારી કરી લીધી હતી. જો પન્ના સિંહની વાત માનીએ તો ઘરમાં એકદમ આનંદનો માહોલ હતો. સુશાંત સિંહ રાજપૂત કોની સાથે લગ્ન કરવા જઇ રહ્યા હતા. તે બોલિવૂડ અભિનેત્રી હતી કે કોઈ અન્ય, હજી સુધી કંઇ જાણી શકાયું નથી. પરંતુ તેની ખાતરી થઈ છે કે અભિનેતા લગ્ન કરવાના મૂડમાં હતો.
સુશાંત ગયા પછી પરિવારના તમામ સપના ટુટી ગયા છે. મુંબઈથી બિહાર સુધી ફક્ત શોકમાં ડૂબેલા લોકો જ નજરે પડી રહ્યા છે. દરેક આ આકર્ષક અભિનેતાને યાદ કરી રહ્યા છે. મુંબઈ પોલીસના જણાવ્યા અનુસાર સુશાંત સિંહ રાજપતુ લાંબા સમયથી ડિપ્રેશનથી પીડાઈ રહ્યો હતો. તેને કઈ બાબતની હતાશા હતી. તે હજી સ્પષ્ટ નથી થયું. પરંતુ પોલીસ આ મામલે સઘન તપાસ કરી રહી છે.