બોલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂત આપઘાત કેસમાં પોલીસે તપાસ આગળ વધારી છે. સતત પૂછપરછ અને તપાસ દરમિયાન બુધવારે સુશાંતસિંહ રાજપૂતનો મિત્ર સિદ્ધાર્થ પિથાણી બાંદ્રા પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. સિદ્ધાર્થ પિથાની સુશાંત સાથે તેના ક્રિએટિવ કન્ટેન્ટ મેનેજર તરીકે કામ કરી રહ્યો હતો.
સુશાંતના ઘરેથી કોઈ સુસાઈડ નોટ મળી નથી
પોલીસ આ મામલાની ઉંડાણથી તપાસ કરી રહી છે
સિદ્ધાર્થ પિથાની સુશાંત સાથે તેના ક્રિએટિવ કન્ટેન્ટ મેનેજર તરીકે કામ કરી રહ્યો હતો
અત્રે ઉલ્લેખનીય છે કે સુશાંતસિંહ રાજપૂતે આત્મહત્યા કરી હતી. તે સમયે સિદ્ધાર્થ પિથાણી તેમના ઘરે હાજર હતો. સુશાંતસિંહ રાજપૂતે 14 જૂને મુંબઇના તેના ફ્લેટમાં ગળેફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી હતી. અત્યાર સુધીની તપાસમાં સુશાંતના મોતનું કારણ આત્મહત્યા અને શ્વાસ રુંધાવાથી થયું હોવાનું જણાવાઈ રહ્યું છે. જો કે પોલીસ આ મામલાની ઉંડાણથી તપાસ કરી રહી છે.
ઉલ્લેખનીય કે તાજેતરમાં જ અભિનેત્રી સંજના સંઘીને પૂછપરછ માટે પોલીસે બોલી હતી. સંજનાએ સુશાંતની છેલ્લી ફિલ્મ દિલ બેચરામાં મુખ્ય ફિમેલ એક્ટર હતી. આ કેસમાં વાયઆરએફના કાસ્ટિંગ ડિરેક્ટર અને જલેબી સ્ટાર અભિનેત્રી રિયા ચક્રવર્તી સહિતના તમામ લોકોની પોલીસે અત્યાર સુધીની પૂછપરછ કરી ચૂકી છે.
સુશાંતે આત્મહત્યા કરી નથી?
શેખર સુમન અને રૂપા ગાંગુલી સહિત આવા ઘણા દિગ્ગજ સ્ટાર્સ છે જે સુશાંતના મોતનું કારણ આપઘાત નથી માનતા. રૂપા ગાંગુલીએ હાલમાં જ ટ્વિટ કરીને કહ્યું હતું કે સુશાંતના ઘરેથી કોઈ સુસાઈડ નોટ મળી નથી. તો શેના આધારે તેને આત્મહત્યા જાહેર કરાઈ છે.