બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતે આત્મહત્યા કરી લેવાથી તેનો પરિવાર, ફેન્સ, મિત્રો અને સમગ્ર બોલિવૂડ ઈન્ડસ્ટ્રીને આઘાત લાગ્યો છે. આ દરમિયાન એવા સમાચાર છે કે, સુશાંત સિંહ રાજપૂતની રૂમર્ડ ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી લોકડાઉન દરમિયાન તેની સાથે જ રહેતી હતી. એવામાં મુંબઈ પોલીસ હવે એક્ટ્રેસથી પૂછપરછ કરવાની છે. સૂત્રો મુજબ, મુંબઈ પોલીસ હવે રિયા ચક્રવર્તીનું નિવેદન લેશે.
મુંબઇ પોલીસ આ મામલાની દરેક એંગલથી તપાસ કરવા માંગે છે. જેથી સુશાંતની મોત પાછળનું ચોક્કસ કારણ જાણી શકાય. અહેવાલો અનુસાર, સિરિયલ 'પવિત્ર રિશ્તા' ફેમ અંકિતા લોખંડે સાથે બ્રેકઅપ પછી સુશાંત સિંહ રિયા ચક્રવર્તી સાથે રિલેશનશિપમાં હતો. રિયા છેલ્લા કેટલાક દિવસથી સુશાંત સિંહ રાજપૂત સાથે રહેતી હતી. પરંતુ સુશાંત સિંહે તેને એક દિવસ પહેલાં જ તેને તેના ઘરે મોકલી દીધી હતી. હવે પોલીસ જાણવા માંગે છે કે બંનેના સંબંધ કેવા હતા? શું મૃત્યુ પહેલા રિયા અને સુશાંત વચ્ચે તકરાર થઈ હતી? અભિનેતા ડિપ્રેશનમાં કેમ હતો?
મુંબઈ પોલીસ એ પણ જાણવા માંગે છે કે, જો બંને વચ્ચેના સંબંધોમાં ભંગાણ પડ્યું તો તેની પાછળનું કારણ શું હતું. રિયા કેમ ઘર છોડીને જતી રહી? સુશાંત સિવાય શું રિયાના બાકીના પરિવાર સાથે કોઈ મતભેદ હતો? જોકે આ પ્રશ્નોના જવાબ રિયા ચક્રવર્તીના નિવેદન પછી જ મળી શકે છે.
આ દરમિયાન અભિનેતાની પૂર્વ ગર્લફ્રેન્ડ અંકિતા લોખંડે એ પણ તેના નિધન પર પ્રતિક્રિયા આપી છે. સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યાના સમાચાર પર એક ન્યૂઝ ચેનલએ અંકિતા લોખંડેને ફોન કર્યો. અભિનેત્રીનો ફોન ઉપાડતાની સાથે ચેનલે સુશાંત સિંહ રાજપૂતના નિધન પર સવાલ કર્યો તો તે ચોંકી ગઈ અને જવાબમાં 'ક્યા' કહીને કોલ કટ કરી દીધો. એક્ટ્રેસના રિએક્શનથી સમજી શકાય છે કે, અન્ય લોકોની જેમ તે પણ સુશાંતના આ પગલાંથી હેરાન છે.
સુશાંતે રવિવારે મુંબઈના બાંદ્રા સ્થિત તેના ફ્લેટમાં ગળે ફાંસો ખાઇ લીધો હતો. તે માત્ર 34 વર્ષનો હતો. તેની આત્મહત્યા પાછળનું કારણ હજી બહાર આવ્યું નથી. જોકે પોલીસના જણાવ્યા મુજબ અભિનેતા છેલ્લા 6 મહિનાથી ડિપ્રેશનમાં હતો. સુશાંતની અંતિમ વિધી આજે મુંબઇમાં થવાની છે. તેના પિતા અને પરિવારના અન્ય સભ્યો પણ પટનાથી મુંબઇ આવવા રવાના થઈ ગયા છે.