ટેલિવિઝનની દુનિયામાંથી ફિલ્મોમાં આવનાર સુશાંત સિંહ રાજપૂતે બાંદ્રામાં તેના ઘરે ગળેફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી છે. સુશાંતના આ પગલાંથી સમગ્ર બોલિવૂડ, પરિવાર, મિત્રો, ફેન્સ હચમચી ઉઠ્યા છે. રવિવારે તેની લાશ પંખા પર લટકેલી હાલતમાં મળી આવી હતી.
સુશાંતના નિધનથી સમગ્ર બોલિવૂડ સ્તબ્ધ
એક્ટર બાન્દ્રામાં ભાડેથી રહેતો હતો
એક મહિનાનું અધધ.. ભાડું ચૂકવતો હતો સુશાંત
તમને જણાવી દઈએ કે, સુશાંત સિંહ રાજપૂત તેના બાન્દ્રાના ફ્લેમાં આ્ત્મહત્યા કરી છે. એક્ટર એક ડીલક્સ એપાર્ટમેન્ટમાં રહેતો હતો. ત્યાં કુલ 4 ફ્લેટ છે. ફ્લેટમાં સુશાંતની સાથે 4 અન્ય લોકો પણ રહેતા હતા. જેમાં 2 કૂક, એક હાઉસ હેલ્પ અને એક આર્ટ ડિઝાઈનર સામેલ છે. જે તેનો મિત્ર પણ હતો.
સુશાંત સિંહ રાજપૂત અપાર્ટમેન્ટનું અધધ..ભાડું આપતો હતો. સુશાંતે આ ફ્લેટ માટે 12,90000 રૂપિયા ડિપોઝિટ આપી હતી, જ્યારે તે એક મહિનાનું 4.51 લાખ રૂપિયા ભાડું આપતો હતો. એવું કહેવાય છે કે, 2022 સુધી સુશાંત સિંહ આ ફ્લેટમાં રહેવાનો હતો, પણ તેના નિધન બાદ એક્ટરનો આ ફ્લેટ હમેશાં માટે ખાલી થઈ ગયો.
સુશાંતે સોશિયલ મીડિયા પર છેલ્લી પોસ્ટ તેની માતા માટે લખી હતી. સુશાંતે ઈન્સ્ટાગ્રામ પર તેની છેલ્લી પોસ્ટમાં લખ્યું- આંસુઓથી ધૂંધળા ભૂતકાળનું બાષ્પીભવન થઈ રહ્યું છે. સ્મિતના એક આર્કની કોતરણી કરતાં સપના અને ક્ષણભંગુર જીવન. બંને વચ્ચેની વાતચીત. તમને જણાવી દઈએ કે, સુશાંત જ્યારે 16 વર્ષનો હતો ત્યારે તેની માતાનું નિધન થઈ ગયું હતું. સુશાંત માતાની ખૂબ નજીક હતો અને અવારનવાર તેમની સાથેની તસવીરો શેર કરતો હતો.
વર્કફ્રંટની વાત કરીએ તો સુશાંતે તેના કરિયરની શરૂઆત ટીવી ઈન્ડસ્ટ્રીથી કરી હતી. સુશાંતની પહેલી સીરિયલ કિસ દેશ મેં હે મેરા દિલ હતી. પણ તેને ઓળખ પવિત્ર રિશ્તા સીરિયલથી મળી. ત્યારબાદ તેણે કાઈ પો છે, એમએસ ધોની, કેદારનાથ, છિછોરે જેવી હિટ ફિલ્મો આપી. સુશાંત મુકેશ છાબરાના નિર્દેશનમાં બની રહેલી ફિલ્મ દિલ બેચારામાં સંજના સંઘાણી સાથે જોવા મળવાનો હતો.