બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતે રવિવારે ફાંસો ખાઈને પોતાના નિવાસ સ્થાને આત્મહત્યા કરી લીધી. તેના આ પગલાંથી તેનો પરિવાર, મિત્રો, ફેન્સ, બોલિવૂડ સ્ટાર્સ સહિત સમગ્ર દેશ આઘાતમાં છે. કોઈને વિશ્વાસ નથી થઈ રહ્યો કે સુશાંત દુનિયામાં નથી રહ્યો. જોકે, સુશાંતની આત્મહત્યાને લઈને ઘણી અટકળો પણ ચાલી રહી છે. તેણે કોઈ સુસાઈડ નોટ પણ છોડી નથી અને આવું પગલું ભરતા પહેલાં તેણે આ અંગે કોઈની સાથે વાત પણ કરી નહોતી.
સુશાંત સિંહના નિધનથી સમગ્ર દેશ આઘાતમાં
સુશાંત સવારે ઉઠ્યો જ્યૂસ પીધું અને...
આ રીતે સુશાંતે અંતિમ સમય વિતાવ્યો
સુશાંત સિંહના રૂમમાંથી કેટલીક દવાઓ અને પેપર્સ મળ્યા છે. જેના પરથી ખબર પડી કે તે છેલ્લા 6 મહિનાથી ડિપ્રેશનમાં હતો. તે પોતાની પાછળ ઘણાં સવાલો મૂકીને જતો રહ્યો ત્યારે મરતાં પહેલાંના તેના 24 કલાક કઈ રીતે વિત્યા અને આ સમય દરમિયાન તેના મગજમાં શું ચાલી રહ્યું છે, આવા સવાલો આજે લોકોના મનમાં ઉઠી રહ્યાં છે.
13 જૂન 2020 સુશાંત સિંહ તેના ઘરે જ હતો. સુશાંત ઘરે એકલો નહોતો પણ તેના કેટલાક મિત્રો પણ સાથે હતા. હમેશાં હસતા રહેતા સુશાંતને અચાનક શું થઈ કોઈ નથી જાણતું. રિપોર્ટ્સ મુજબ, રાતે 12 વાગ્યે સુશાંતે તેના મિત્ર અને એક્ટરને કોલ કર્યો હતો, પરંતુ તેણે કોલ રિસીવ ન કર્યો. પછી સુશાંત 14 જૂને સવારે 6.30 વાગ્યે ઉઠ્યો. સવારે 9.30 વાગ્યે તેણે ફોન પર તેની બહેન સાથે વાતચીત કરી. ત્યારબાદ સુશાંતે તેના મિત્રને પણ કોલ કર્યો.
લગભગ 10.30 વાગ્યે સુશાંત સિંહ રૂમમાંથી બહાર આવ્યો, તેના નોકરે તેને જ્યૂસ આપ્યું અને પછી તે ફરી રૂમમાં જતો રહ્યો. થોડીવાર પછી જ્યારે નોકર લંચ માટે પૂછવા ગયો તો રૂમ બંધ હતો અને તે દરવાજો ખોલી નહોતો રહ્યો. સાથે રહેનારા મિત્રો અને નોકરે સુશાંતને કોલ કર્યો પણ તે ફોન ઉપાડી નહોતો રહ્યો, જેથી બધાં ગભરાઈ ગયા.
ત્યારબાદ સુશાંત સિંહ રાજપૂતની બહેનને કોલ કર્યો. થોડીવાર પછી બહેન આવી અને ચાવીવાળાને બોલાવીને દરવાજો ખોલાવ્યો ત્યારે રૂમમાં સામેનું દ્રશ્ય જોઈને બધા ચોંકી ગયા. સુશાંત સિંહ રાજપૂતનું બોડી જોઈને કોઈને એ વાતનો વિશ્વાસ નહોતો થઈ રહ્યો કે તે હવે આ દુનિયામાં નથી રહ્યો.
ત્યારબાદ લોકલ ડોક્ટરને બોલાવ્યા અને તેના નોકરે પોલીસને ફોન કર્યો. ત્યાં સુધી સુશાંતની બહેન અને તેના મિત્રોએ તેની લાશને ઉતારીને પલંગ પર સુવડાવી દીધી હતી. ડોક્ટર આવ્યા તપાસ કરી તો સુશાંત સિંહને મૃત જાહેર કર્યો. તેના થોડાં સમયમાં તેના પાર્થિવ દેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો. તેના અચાનક નિધનથી બધાં ચોંકી ગયા છે. કોઈને સમજાઈ નથી રહ્યું કે, તેણે આટલું મોટું પગલું આખરે કેમ ભર્યું.