સુશાંતના પરિવારવાળા પટનામાં હતા અને મુંબઈ આવવા નીકળી ચૂક્યા છે. સુશાંતના પાર્થિવ શરીરને રવિવારની સાંજે પોસ્ટમોર્ટમને માટે મુંબઈના કપૂર હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા અને તેમના પિતરાઈ સંદીપ સિંહ કૂપર હોસ્પિટલના મૃતદેહ ગૃહમાં પહોંચ્યા છે.
સુશાંત સિંહ રાજપૂતનું નિધન
પિતરાઈ ભાઈ પહોંચ્યા કૂપર હોસ્પિટલ
ગઈકાલે બોલિવૂડના એક્ટર સુશાંત સિંહ રાજપૂતે આત્મહત્યા કર્યા બાદ દેશભરમાં શોકનો માહોલ છે. ટીવીથી લઈને બોલિવૂડ સ્ટાર્સ અને ફેન્સ તેમના મોતને લઈને દુઃખ વ્યકત કરી રહ્યા છે. જ્યાં કોઈને એ વાતનો પણ વિશ્વાસ થઈ રહ્યો નથી કે સુશાંત સિંહ રાજપૂત હવે આ દુનિયામાં રહ્યા નથી. તેમનો પરિવાર પટનામાં હતો અને મુંબઈ આવવા નીકળી ચૂક્યો છે. સુશાંતના પાર્થિવ શરીરને રવિવારે સાંજે પોસ્ટમોર્ટમ માટે મુંબઈની કૂપર હોસ્પિટલમાં લઈ જવાયો છે. અને સાથે જ પિતરાઈ કઝિન સંદીપ સિંહ કૂપર હોસ્પિટલ પહોંચી ચૂક્યા છે.
સુશાંતના ભાઈએ જણાવી આ વાત
એક્ટર સુશાંત સિંહ રાજપૂતના નિધનથી પરિવારમાં માતમ છવાયો છે. એક્ટરના પિતા તૂટી ચૂક્યા છે તેમને વિશ્વાસ થઈ રહ્યો નથી કે તેમનો દીકરો હવે આ દુનિયામાં નથી. આજે સુશાંતના અંતિમ સંસ્કાર કરવામાં આવી શકે છે. અન્ય તરફ સુશાંતના સંબંધી નીરજ કુમાર સિંહ બબલૂએ કહ્યું કે તેઓ મુંબઈ માટે રવાના થયા છે. મુંબઈમાં જ સુશાંતના અંતિમ સંસ્કાર કરાશે. નીરજ કુમાર સુશાંતના પિતા અને અન્ય સંબંધી સાથે મુંબઈ માટે રવાના થયા છે.
We are leaving for Mumbai now. The last rites will be performed there. We still can't believe that he is no more. If needed, we will ask for investigation as well: Niraj Kumar Singh Babloo, BJP MLA and a relative of #SushantSinghRajput, in Patna. https://t.co/Z39UvMfLOjpic.twitter.com/OCFF4bwzUo
પરિવાર સહિત નજીકના લોકો અંતિમ સંસ્કારમાં રહેશે હાજર
કોરોના વાયરસના કારણે સુશાંત સિંહ રાજપૂતના અંતિમ સંસ્કારમાં વધારે લોકો સામેલ થઈ શક્યા નથી. એક્ટરના પિતાના સિવાય ફક્ત કેટલાક નજીકના સગાં જ સાથે રહેશે. સુશાંતે રવિવારે પોતાના ઘરમાં આત્મહત્યા કરી હતી. તે ડિપ્રેશનની સમસ્યાથી પીડાઈ રહ્યો હતો. સુશાંતે જે રીતે દુનિયાને અલવિદા કહ્યું તેનાથી દેશ દુઃખી છે. દરેક વ્યક્તિ સોશ્યિલ મીડિયા પર એક્ટરને યાદ કરીને પોતાની તરફથી શ્રદ્ધાંજલિ આપી રહ્યું છે.
બોલિવૂડમાં બનાવી ચૂક્યો હતો કરિયર
બોલિવૂડમાં સુશાંત સિંહ રાજપૂતે ફિલ્મ કાઈપો છેથી ડેબ્યૂ કર્યું. તેઓએ એમ.એસ. ધોનીઃ ધ અનટોલ્ડ સ્ટોરી, છિછોરે, કેદારનાથ, રાબતા, ડ્રાઈવ જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું.બોલિવૂડમાં તેના કામની ખૂબ જ પ્રશંસા થતી અને તેને કાબેલ એક્ટરના લિસ્ટમાં ગણવામાં આવતો. પોતાની એક્ટિંગ કરિયરની શરૂઆત સુશાંત સિંહ રાજપૂતે ટીવી સિરિયલથી કરી હતી.
બોલિવૂડમાં સુશાંત સિંહ રાજપૂતે ફિલ્મ કાઈપો છેથી ડેબ્યૂ કર્યું. તેઓએ એમ.એસ. ધોનીઃ ધ અનટોલ્ડ સ્ટોરી, છિછોરે, કેદારનાથ, રાબતા, ડ્રાઈવ જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું.બોલિવૂડમાં તેના કામની ખૂબ જ પ્રશંસા થતી અને તેને કાબેલ એક્ટરના લિસ્ટમાં ગણવામાં આવતો. પોતાની એક્ટિંગ કરિયરની શરૂઆત સુશાંત સિંહ રાજપૂતે ટીવી સિરિયલથી કરી હતી.