સુશાંત સિંહ રાજપૂતની મોતને એક મહિનો થવા આવ્યો છે. તેમ છતાં મુંબઈ પોલીસ હજી પણ આ કેસની દરેક એંગલથી તપાસ કરવામાં લાગેલી છે. રિપોર્ટ્સ મુજબ, મુંબઈ પોલીસ અત્યાર સુધી 36 લોકોના નિવેદન નોંધી ચૂકી છે. લેટેસ્ટ રિપોર્ટ મુજબ પોલીસ હવે ફરી સુશાંતની બહેન અને તેના કૂક નીરજની પૂછપરછ કરશે.
સુશાંતે 14 જૂને તેના ઘરે આત્મહત્યા કરી લીધી હતી. તેણે આ પગલું કેમ ભર્યું તે હજી સુધી જાણી શકાયું નથી. એવા સમાચાર છે કે, 11 જૂનથી 14 જૂન સુધી સુશાંત સાથે એવું તો શું થયું કે તેણે આટલું મોટું પગલું ભરી લીધું, એ જાણવા માટે મુંબઈ પોલીસ ફરી તેની બહેન અને કૂકની પૂછપરછ કરશે.
રિપોર્ટ મુજબ પોલીસ સુશાંતના કેસથી જોડાયેલી દરેક ડિટેલ્સ જાણવા માંગે છે. સુશાંત મરતા પહેલાં શું શું કર્યું, તેણે શું ખાધું, તેનું રૂટીન શું હતું, દરેક મિનિટની જાણકારી પોલીસ લેવા માંગે છે. અગાઉ સુશાંતના કૂકથી 6 કલાક પૂછપરછ કરવામાં આવી ચૂકી છે અને તેનું નિવેદન પણ નોંધી લેવામાં આવ્યું છે.
કૂક સિવાય સુશાંતની બહેન મીતૂથી પણ ફરી પૂછપરછ કરવાની વાત સામે આવી છે. સમાચારો મુજબ પોલીસ આ બંનેની 3 મહિના પહેલાં થયેલી મુલાકાત, સુશાંત અને તેના રિલેશનશિપ અથવા કોઈની સાથે થયેલાં ઝઘડાની જાણકારી મેળવવા માંગે છે.