સુશાંત સિંહ રાજપૂતના કેસમાં એક બાદ એક વળાંક આવી રહ્યાં છે ત્યારે તેના પરિવારે આરોપ લગાવ્યો છે કે, કેકે સિંઘ અને તેમની ચાર દીકરીઓને સબક શીખવાડવાની ધમકીઓ મળી રહી છે. એક બાદ એક દરેક વ્યક્તિ પર કીચડ ઉછાળવામાં આવી રહ્યું છે. તે સિવાય પણ સુશાંતના પરિવારે કેટલાક સવાલ પૂછ્યા છે, કેકે સિંઘે 9 પેજની ચિઠ્ઠી જાહેર કરી છે, જેમાં લખ્યું છે કે સુશાંતનો પરિવાર હોવાનો શું મતલબ છે
સુશાંતના પરિવારને મળી ધમકી
પરિવારે 9 પાનાની ચિઠ્ઠી લખી
સુશાંત માટે માગી રહ્યાં છે ન્યાય
શું લખ્યું છે ચિઠ્ઠીમાં?
ચિઠ્ઠીની શરૂઆત ફિરાક જલાલપુરીના શેરથી કરવામાં આવી છે, 'तू इधर-उधर की ना बात कर ये बता कि काफिला क्यूं लुटा, मुझे रहजनों से गिला नहीं तेरी रहबरी का सवाल है.' બાદમાં લખ્યું છે કે સુશાંતનો પરિવાર હોવાનો શું મતલબ છે.
છાપાના પાનામાં પોતાનું નામ ચમકાવવા માટે કોઇ પણ મામા-કાકા બનીને નિવેદન આપી રહ્યું છે, એવામાં કહેવું જરૂરી થઇ ગયુ છે કે અમે કોણ છીએ. સુશાંતના માતા પિતા કમાઇને ખાવાવાળા લોકો હતા, જેમના પાંચ હસતા-રમતા બાળકો હતા. તેમનો ઉછેર યોગ્ય રીતે થાય એટલા માટે ગામથી શહેર આવ્યા અને નોકરી ધંધે લાગ્યા. ભારતના સામાન્ય માતા-પિતાની જેમ દરેક મુશ્કેલીનો સામનો કર્યો પણ બાળકોને કોઇ વાતનું ઓછુ ન આવવા દીધું.
કહેવાય છે કે જે બે હાથ-પગનો માણસ કરી શકે તે તમે પણ કરી શકો. પહેલી દીકરીમાં જાદુ હતો, કોઇ આવ્યું અને તેને પરીઓના દેશ લઇ ગયું. બીજી દીકરી રાષ્ટ્રીય ટીમ માટે ક્રિકેટ રમી, ત્રીજીએ લૉમાં કાઠુ કાઢ્યુ તો ચોથીએ ફેશન ડિઝાઇનિંગમાં ડિપ્લોમા કર્યું, પાંચમો સુશાંત હતો જેના માટે બાધાઓ લીધી હતી. સુશાંતના પરિવારે ક્યારેય કોઇ પાસે કંઇ માંગ્યુ નથી ના કોઇને નુકસાન પહોંચાડ્યું છે.
સુશાંતની મોત બાદ તેની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી વિરુદ્ધ કેકે સિંઘ રાજપૂતે ફરિયાદ નોંધાવી હતી કે રિયાએ સુશાંતને આત્મહત્યા કરવા માટે ઉશ્કેર્યો છે અને સુશાંતના બધા જ રૂપિયા ચાઉ કરી ગઇ છે. જેના માટે ભારત સરકારે CBIને તપાસ કરવા માટે જણાવ્યું છે.