બોલીવુડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતની મોતને 3 મહિનાથી વધારે સમય વિતી ચૂક્યો છે. પરંતુ દેશની 3 મોટી તપાસ એજન્સી મળીને હજું સુધી એક સવાલનો જવાબ શોધી શકી નથી કે તેણે આત્મહત્યા કરી હતી કે તેની હત્યા કરાઈ હતી. તપાસ અને ન્યાય મળવામાં મોડું થઈ રહ્યું હોઈ પરિવારના વકીલ વિકાસ સિંહે નારાજગી વ્યક્ત કરી હતી.
હાલ કોઈ નિર્ણય પર ન પહોંચી શકીએ કે આ હત્યા છે કે આત્મહત્યા
200 ટકા ગળુ દબાવીને માર્યા હોવાનો મામલો છે
પરિવારના વકીલ વિકાસ સિંહે નારાજગી વ્યક્ત કરી હતી
વકીલ વિકાસ સિંહે ટ્વીટ કરી કહ્યું કે સીબીઆઈ દ્વારા સુશાંત મામલામાં આત્મહત્યા માટે ઉશ્કેરવાના મુદ્દાથી બદલીને હત્યાના મામલામાં બદલવામાં થઈ રહેલું મોડું હવે ફ્રસ્ટ્રેશન લાવી રહ્યું છે. તે ડોક્ટર જે એઈમ્સની ટીમનો ભાગ રહ્યા છે તેમણે મને જણાવ્યું કે જે તસવીરો મે તેમને મોકલી હતી તે 200 ટકા ગળુ દબાવીને માર્યા હોવાનો મામલો છે આત્મહત્યાનો નહીં.
બીજી તરફ AIIMSના ફોરેન્સિક ચીફ સુધીર ગુપ્તાએ એક મીડિયા સાથેની વાતચીતમાં વિકાસ સિંહના નિવેદન પર કહ્યું કે તપાસ ચાલી રહી છે. તેઓ જે કહી રહ્યા છે તે બરાબર નથી. અમે ફક્ત ગળા પર રહેલા નિશાન અને ક્રાઈમ સીનનો જોઈને કોઈ નિર્ણય પર ન પહોંચી શકીએ કે આ હત્યા છે કે આત્મહત્યા. આમાં વધારે તપાસની જરુર છે. જે ચાલી રહી છે. હજું સુધી કોઈ પરિણામ મળ્યુ નથી.