સુશાંત સિંહ રાજપૂતે 14 જૂને તેના ઘરે ગળે ફાંસો ખાઈને બધાંને ચોંકાવી દીધા. છેલ્લા 6 મહિનાથી ડિપ્રેશનથી પીડિત સુશાંત માત્ર 34 વર્ષનો હતો. બોલિવૂડ ઈન્ડસ્ટ્રીની સાથે તેના ફેન્સ પણ ખૂબ જ દુઃખી છે. ત્યારે હવે અમેરિકામાં રહેતી સુશાંતની બહેને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને લોકોને સાંત્વના આપી છે અને શ્વેતા સિંહ કીર્તિએ તેની પોસ્ટમાં જણાવ્યું કે, જ્યારે તેણે તેના પાંચ વર્ષના દિકરાને કહ્યું કે, મામા હવે આપણી વચ્ચે નથી રહ્યાં તો તેના ભાણિયાનું રિએક્શન તમને ભાવુક કરી દેશે.
સુશાંતની મોતથી સમગ્ર બોલિવૂડ અને પરિવાર આઘાતમાં
તો હવે સુશાંતની મોતના સમાચાર પર તેના ભાણિયાએ આપ્યું રિએક્શન
સુશાંતની બહેન કીર્તિએ તેની પોસ્ટમાં લખ્યું- જ્યારે મેં નિર્વાણને કહ્યુ કે મામા હવે દુનિયામાં નથી રહ્યો ત્યારે તેણે કહ્યું કે, તે આપણાં દિલમાં જીવિત છે. આ વાત તેણે 3વાર કહી હતી. જ્યારે 5 વર્ષનો છોકરો આવું કંઈક કહી શકે ત્યારે વિચારો કે આપણે બધાએ કેટલા મજબૂત બનવું જોઈએ. દરેક વ્યક્તિએ મજબૂત બનવું જોઈએ. ખાસ કરીને સુશાંતના ફેન્સને મારી અપીલ છે કે, પ્લીઝ સમજો કે તે આપણા દિલમાં રહે છે અને તે હમેશાં રહેશે. તેની આત્માને દુઃખ પહોંચે એવું કોઈ કામ ન કરતાં. સ્ટે સ્ટ્રોન્ગ. તમને જણાવી દઈએ કે સુશાંતની બહેન યૂએસથી આવવાની હતી. આ વાતની જાણકારી તેણે પોતે પોસ્ટ શેર કરીને આપી હતી.
સુશાંતના નિધન બાદ લોકો બોલિવૂડ પર આરોપ લગાવી રહ્યાં છે અને લોકો રોષે ભરાયા છે કે, બોલિવૂડમાં નેપોટિઝ્મને કારણે સુશાંતની આ હાલત થઈ છે. લોકો સોશિયલ મીડિયા પર કરણ જોહર, આલિયા ભટ્ટ અને સલમાન ખાનને લઈને નેગેટિવ પોસ્ટ કરી રહ્યાં છે.
વર્કફ્રંટની વાત કરીએ તો સુશાંતે તેના કરિયરની શરૂઆત ટીવી ઈન્ડસ્ટ્રીથી કરી હતી. સુશાંતની પહેલી સીરિયલ કિસ દેશ મેં હે મેરા દિલ હતી. પણ તેને ઓળખ પવિત્ર રિશ્તા સીરિયલથી મળી. ત્યારબાદ તેણે કાઈ પો છે, એમએસ ધોની, કેદારનાથ, છિછોરે જેવી હિટ ફિલ્મો આપી. સુશાંત મુકેશ છાબરાના નિર્દેશનમાં બની રહેલી ફિલ્મ દિલ બેચારામાં સંજના સંઘાણી સાથે જોવા મળવાનો હતો.