બોલિવૂડનાં પ્રસિદ્ધ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના આપઘાત બાદ સમગ્ર સિનેમા જગત આઘાતમાં છે. સુશાંત સિંહની અંતિમ વિધિ માટે તેમનો પરિવાર મુંબઈ આવી રહ્યો છે ત્યારે સુશાંત સિંહની અંતિમવિધિ થાય તે પહેલા તેમનો કોરોના ટેસ્ટ કરવામાં આવશે.
સંક્રમણના કારણે દરેક મૃત વ્યક્તિનો કોરોના ટેસ્ટ જરૂરી
જો પોઝિટિવ રિપોર્ટ આવે તો ગાઈડલાઈન્સ મુજબ અંતિમવિધિ
મુંબઈ આવી રહ્યો છે પરિવાર
કોરોના ટેસ્ટ જરૂરી
બોલિવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના અંતિમ સંસ્કાર પહેલા તેમના શબનું કોરોના ટેસ્ટ કરવામાં આવશે. પોસ્ટમોર્ટમ કર્યા પહેલા જ તેમનો કોરોના ટેસ્ટ સેમાંપ્લ લેવામાં આવ્યો હતો. સુશાંતના મૃતદેહના કોરોના ટેસ્ટનું કારણ એ છે કે કોરોના વાયરસ સંક્રમણનાં કારણે મૃત્યુ પામતા દરેક લોકોનો ટેસ્ટ કરવામાં આવે છે અને જો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવી જાય તો તેની ગાઈડલાઈન અનુસાર અંતિમ વિધિ કરવામાં આવે છે.
પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યો
સુશાંતસિંહ રાજપૂતના પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં શરૂઆતમાં આત્મહત્યા કરાઈ હોવાનું બહાર આવ્યું છે. ત્યારે ડોકટરોએ તેના ઓર્ગન્સની તપાસ માટે જેજે હોસ્પિટલમાં મોકલ્યા છે. અહીં તેની તપાસ કરવામાં આવશે કે તેમના અંગોમાં કોઈ ઝેર અથવા ડ્રગ્સ તો નથી ને. આ કેસની તપાસ કરી રહેલા મુંબઇ પોલીસ ઝોન 9 ના ડીસીપી અભિષેક ત્રિમુખીએ જણાવ્યું હતુ કે સુશાંતના ઓરડામાંથી તેમને કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી.
સંદીપ સિંહ કૂપર હોસ્પિટલ પહોંચ્યા
ગઈકાલે બોલિવૂડના એક્ટર સુશાંત સિંહ રાજપૂતે આત્મહત્યા કર્યા બાદ દેશભરમાં શોકનો માહોલ છે. ટીવીથી લઈને બોલિવૂડ સ્ટાર્સ અને ફેન્સ તેમના મોતને લઈને દુઃખ વ્યકત કરી રહ્યા છે. જ્યાં કોઈને એ વાતનો પણ વિશ્વાસ થઈ રહ્યો નથી કે સુશાંત સિંહ રાજપૂત હવે આ દુનિયામાં રહ્યા નથી. તેમનો પરિવાર પટનામાં હતો અને મુંબઈ આવવા નીકળી ચૂક્યો છે. સુશાંતના પાર્થિવ શરીરને રવિવારે સાંજે પોસ્ટમોર્ટમ માટે મુંબઈની કૂપર હોસ્પિટલમાં લઈ જવાયો છે. અને સાથે જ પિતરાઈ ભાઈ સંદીપ સિંહ કૂપર હોસ્પિટલ પહોંચ્યા છે.