બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતે 14 જૂને ઘરમાં જ ફાંસી ખાઈને આત્મહત્યા કરી. આ પછી બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં સન્નાટો છવાયો છે. લોકો તેને માટે ડિપ્રેશનને જવાબદાર ગણાવી રહ્યા છે અને સાથે એકમેકને સુશાંતની મોતને માટે જવાબદાર પણ ગણાવી રહ્યા છે. હાલમાં તપાસમાં એક વાત સામે આવી છે કે સુસાઈડના 3 દિવસ પહેલાં જ સુશાંતે ઘરના સ્ટાફને સેલેરી આપી હતી. આ સાથે જ સુશાંતે તેમને કહ્યું હતું કે આ રાખી લો કારણ કે હવે હું તમને સેલેરી આપી શકીશ નહીં.
સુશાંતના સુસાઈડમાં નવો ખુલાસો
સુસાઈડના 3 દિવસ પહેલાં હાઉસ સ્ટાફને આપી હતી સેલેરી
સુશાંતે કહ્યું હતુ, આ રાખી લો, હવે પછી હું સેલેરી આપી શકીશ નહીં
એક્સ મેનેજર દિશા સલિયનના કોન્ટેક્ટમાં હતા
માહિતી એવી પણ મળી રહી છે કે સુશાંત એક વેબ સીરિઝને લઈને પોતાની એક્સ મેનેજર દિશા સલિયનના કોન્ટેક્ટમાં હતા. પોલીસને તેને માટે કોઈ સબૂત મળ્યું નથી. ઉલ્લેખનીય છે કે દિશા અને સુશાંતની છેલ્લી વાતચીત માર્ચમાં થઈ હતી તે પણ વોટ્સઅપની મદદથી.
સુશાંતના સુસાઈડ બાદ સામે આવી આ વાતો
સુશાંત સિંહ રાજપૂતના સુસાઈડે બોલિવૂડની સચ્ચાઈ સામે લાવી છે. અનેક મોટા ડાયરેક્ટર્સ અને એક્ટર્સની પોલ ખુલી છે. એમ પણ રહેવાઈ રહ્યું છે કે સુશાંતે કરણ જોહર, સંજય લીલા ભણસાલી, એકતા કપૂર, દિનેશ વિજાન સહિત અનેક લોકોથી હેરાન થઈને આ પગલું ભર્યું છે.
ઉલ્લેખનીય છે કે પરિવારે મુંબઈમાં જ સુશાંતના અંતિમ સંસ્કાર કર્યા હતા અને સાથે જ ગઈકાલે ગંગામાં સુશાંતની અસ્થિઓનું વિસર્જન પણ કરવામાં આવ્યું છે. આ સાથે પોલીસ તપાસમાં અનેક નવી કડીઓ સામે આવતી રહે છેે અને તેના પર કાર્યવાહી પણ થઈ રહી છે.