સુશાંત સિંહ રાજપૂતના નિધન બાદથી જ સોશિયલ મીડિયા પર તેના થ્રોબેક વીડિયો અને તસવીરો શેર કરવામાં આવી રહી છે. એક્ટરના નિધનથી બોલિવૂડ ઈન્ડસ્ટ્રી સહિત સમગ્ર દેશ આઘાતમાં છે. આ દરમિયાન તેની એક્સ ગર્લફ્રેન્ડ અને કો-સ્ટાર રહી ચૂકેલી અભિનેત્રી અંકિતા લોખંડે પણ ઘેરા આઘાતમાં છે. સુશાંતના નિધન બાદથી અંકિતા સોશિયલ મીડિયાથી દૂર થઈ ગઈ છે. ત્યારે હાલમાં જ સુશાંત તો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તે અંકિતા સાથેના તેના રિલેશન વિશે વાત કરતો જોવા મળી રહ્યો છે.
સુશાંતની મોત તેની પાછળ અનેક સવાલો છોડી ગઈ છે
સુશાંતના થ્રોબેક વીડિયો સોશિયલ મીડિયા પર થઈ રહ્યાં છે વાયરલ
વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે સુશાંત અંકિતા લોખંડેની સાથે ગળાડૂબ પ્રેમમાં હતો. સુશાંત તેના રિલેશન વિશે સમજદારીથી વાત કરતા જોવા મળી રહ્યો છે. તેણે અંકિતા સાથે તેના સંબંધની વાત એક શાયરીથી શરૂ કરી હતી. સુશાંતે વીડિયોમાં કહી રહ્યો છે- પ્રેમમાં જીવવા કે મરી જવાનો ફરક નથી પડતો, તેને જોઈને જ જીવાય છે જે કાફિર પર દમ નીકળે. છેલ્લા 6 વર્ષોમાં અંકિતા ખૂબ જ ધેર્યવાન રહી છે અને બહુ પ્રેમ કરતી રહી છે અને તે મારી સાથે રહેવા માટે ઘણી જ એક્સાઈટેડ છે. જેથી હું કોઈ જ ચાંસ લેવા માંગતો નથી. તે બહુ જ સુંદર છે અને હું તેનાથી ખૂબ જ પ્રેમ કરું છું, તેની સાથે રહેવા માંગુ છું.
A post shared by bollywood (@bollywoodactor1213) on
વીડિયોમાં સુશાંત આગળ કહે છે-કોઈ સંબંધને તોડવા માટે તમને રોજ નવા બહાના મળી શકે છે પરંતુ સંબંધને ચલાવવા માટે પ્રયાસ કરતાં રહેવું જરૂરી છે. હું તેના વગર ક્યારેય નહીં જીવી શકું અને આ જ કારણ છે કે હું હમેશાં ઈમોશનલ રહ્યો છું. હું ઈનસિક્યોર રહેવા માગું છું. હું તેની સાથે રહેવા માંગુ છું. સુશાંતની વાતોથી સમજી શકાય છે કે તે અંકિતાને કેટલો ચાહતો હતો.
સુશાંત અને અંકિતાના સંબંધની શરૂઆત એકતા કપૂરના ટીવી શો 'પવિત્ર રિશ્તા' પર થઈ હતી. આ શોમાં બંનેએ માનવ-અર્ચનાની ભૂમિકા ભજવી હતી. આ બંને લીડ રોલ પ્લે કરતા કરતા એકબીજાની નજીક આવ્યા હતા. આ બંનેને દર્શકોનો પણ ઘણો પ્રેમ મળ્યો, પરંતુ જ્યારે આ સીરિયલ સમાપ્ત થઈ અને સુશાંત બોલિવૂડ તરફ આગળ વધ્યો ત્યારે તેમના સંબંધમાં તિરાડ આવવા લાગી અને થોડાં સમય બાદ બંને વચ્ચે બ્રેકઅપ થયું હોવાના સમાચાર મળ્યા હતા. જેનાથી ફેન્સ ખૂબ જ નિરાશ થયા હતા.