સુશાંત સિંહની આત્મહત્યાને લઇને મામલો ગરમાયો છે. સુશાંત ડિપ્રેશનનો શિકાર હતો તેવી વાત મીડિયા અને સોશિયલ મીડિયામાં ચાલી રહી છે. બીજી તરફ બોલીવૂડમાં સુશાંતને સાઇડલાઇન કરવાની કે કાઢી નાખવાની ચર્ચાઓએ પણ જોર પકડ્યું છે. તો સુશાંત સગાવાદ(nepotism)નો ભોગ બન્યો હોવાની વાતો પણ સામે આવી છે આ તમામ બાબતો વચ્ચે મહારાષ્ટ્ર સરકારના ગૃહમંત્રી અનિલ દેશમુખે એક મોટું નિવેદન આપ્યું હતું.
સુશાંત સિંહના મોત બાદ મહારાષ્ટ્રના ગૃહમંત્રીએ આપ્યા તપાસના આદેશ
બોલીવૂડમાં અંદરોઅંદરની દુશ્મની અંગે પણ તપાસ થશે
મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે જણાવ્યું હતું કે, સુશાંતસિંહ રાજપૂતના આપઘાત અંગે તપાસના આદેશ આપવામાં આવે છે. આ સાથે જ બૉલીવુડમાં આંતિરક દુશ્મનીની તપાસ કરવામાં આવશે તેવી વાત પણ તેમણે ઉચ્ચારી હતી. તો તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સુશાંત ડિપ્રેશનનો શિકાર હતો કે નહીં તેની પણ થશે તપાસ.
સુશાંત સિંહ રાજપૂતનાં અચાનક આ પગલાથી સમગ્ર ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. બોલિવૂડના દિગ્ગજ કલાકારોએ સુશાંતના નિધન પર શોક વ્યક્ત કર્યો છે, પરંતુ બીજી તરફ, તેમની હતાશાના અહેવાલો પણ સતત બહાર આવી રહ્યા છે, પરંતુ બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌત આ બધા અહેવાલોને ખોટા ગણાવ્યા છે અને કહ્યું છે કે સુશાંત માનસિક રીતે મજબૂત હતો તેવી વાત કરી હતી.
સુશાંતની આત્મહત્યા પર કંગના રનૌતે આપ્યું મોટું નિવેદન
અભિનેત્રી કંગના રનૌતે વીડિયો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો. તેમાં કંગનાએ સુશાંતસિંહના મોત પાછળ બોલિવૂડને જવાબદાર કહ્યું છે. કંગનાએ કહ્યું કે, ગલીબોય જેવી વાહિયાત ફિલ્મને એવોર્ડ મળે છે ત્યારે છીછોરે જેવી ફિલ્મને એવોર્ડ ન મળતા સુશાંત ડિપ્રેશનમાં હતો..તે સતત વિચારતો રહેતો હોવાના કારણે તેણે આ પગલુ ભર્યું હોવાનું કંગનાએ નિવેદન આપ્યું છે.
કંગનાએ વધુમાં કહ્યું કે, કેટલાક લોકો છે જે તમને એવુ સ્વીકારવા માટે મજબૂર કરી દે કે, તમે નબળા મગજના છો તમે બોલિવૂડમાં નહી ચાલો પરંતુ સુશાંત તો ટોપર હતો તેને શા કારણે એવુ માનવા પર મજબૂર કર્યો કે તે નબળા મગજનો છે.
શેખર કપૂરના ટ્વીટે ઉભા કર્યા સવાલ
શેખર કપૂરે પણ સુશાંતની મોત પર ખુલાસો કરતા ટ્વિટ કરી હતી કે, "મને ખબર છે તમે કોના દ્વારા હેરાન થઇ રહ્યા હતા, તે લોકો તમને એટલા હેરાન કરતા હતા કે તમે મારા ખભા પર માથુ મૂકીને રડતા હતા. તમારી વેદના શું હતી તે મને ખબર છે."
I knew the pain you were going through. I knew the story of the people that let you down so bad that you would weep on my shoulder. I wish Iwas around the last 6 months. I wish you had reached out to me. What happened to you was their Karma. Not yours. #SushantSinghRajput
શેખર કપૂરના આ ટ્વિટ પરથી એવી શંકા ઉભી થાય છે કે ખરેખર આ સમગ્ર બાબત નેપોટીઝમના કારણે હતી અથવા કોણ વ્યક્તિઓ છે કે જે સુશાંતને હેરાન કરી રહ્યા હતા. હાલ તો આ બાબત પર ખાસ કોઇ ખુલાસો નથી થયો પરંતુ નજીકના સમયમાં નેપોટીઝમ જ સુશાંતના મોતનુ કારણ સાબિત થાય તો નવાઇ નહી.
સુશાંત સિંહ રાજપૂતને વિદાય આપવા બોલીવૂડ ઉમટ્યું
સુશાંત સિંહ રાજપૂતનું શરીર પંચમહાભૂતમાં વિલીન થઇ ગયું છે. તેમને અંતિમ વિદાય આપવા તેમના પરિવારની સાથે સાથે બોલિવૂડના કલાકારો પણ ત્યાં ઉપસ્થિત રહ્યા જેમાં રિયા ચક્રવર્તી, કૃતિ સેનન, વિવેક ઓબેરોય જેવા કલાકારોના નામ છે. વિલે પાર્લે સેવા સમાજ શ્મશાન ઘાટમાં તેમને અંતિમ વિદાય અપાવામાં આવી.
અંતિમ વિધિ દરમિયાન જ જાણે પ્રકૃતિ પણ આંસુ વહાવી રહી હોય તેમ ઘનઘોર વાદળા છવાઈ ગયા અને ધોધમાર વરસાદ વરસ્યો. શ્મશાનની આસપાસ ચાહકોની ભારે ભીડ હતી અને વરસાદના કારણે રોડ પર જબરદસ્ત ટ્રાફિક જામ થઇ ગયો.