બોલિવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા ફિલ્મ ઇન્ડસ્ટ્રી અને ચાહકો માટે મોટો ઝાટકો હતો. સુશાંતના ફૅન્સ હજુ પણ તેની મોતના આઘાતમાંથી બહાર નથી આવ્યા અને અત્યાર સુધી ઘણાં ભાવુક મેસેજીસ સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહ્યાં છે. આ દરમિયાનમાં એવું બહાર આવ્યું છે કે સુશાંતની 14 મી જૂનના રોજ આપઘાત થયા બાદ ઇન્સ્ટાગ્રામ પર તેના કરોડો ફોલોઅર્સ વધી ગયા છે.
સુશાંતસિંહ રાજપૂતની આત્મહત્યા મામલો
આત્મહત્યા બાદ સુશાંત સિંહના ફોલોઅર્સ વધ્યા
લગભગ 5 મિલિયન ફોલોઅર્સનો વધારો
સુશાંત સિંહ રાજપૂતનાં મૃત્યુ પહેલાં, તેના ઇન્સ્ટાગ્રામ પર તેના લગભગ 9 મિલિયન (90 લાખ) ફોલોઅર્સ હતા. ત્યારથી, ઇન્સ્ટાગ્રામ પર તેના અનુયાયીઓની સંખ્યા અત્યાર સુધીમાં વધીને 13.9 મિલિયન (1 કરોડ 39 લાખ) થઈ ગયા છે. આ રીતે, ઇન્સ્ટાગ્રામ પર સુશાંતના ફોલોઅર્સની સંખ્યામાં લગભગ 5 મિલિયન લોકોનો વધારો થયો છે. સુશાંતના ફોલોઅર્સની આ સંખ્યા દરરોજ સતત વધી રહી છે.
ઉલ્લેખનીય છે કે સુશાંતે તેના ઇન્સ્ટાગ્રામ પર છેલ્લી પોસ્ટ તેની દિવંગત માતાને યાદ કરીને લખી હતી. તેણે આ પોસ્ટ 3 જૂને શેર કરી હતી. ત્યારબાદ તેણે 14 જૂનની સવારે મુંબઇના બાંદ્રાના મકાનમાં ગળેફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી હતી. બોલિવૂડની અનેક હસ્તીઓ અને ચાહકોએ આરોપ લગાવ્યો છે કે સુશાંત બોલીવુડમાં નેપોટિઝમ અને ગ્રુપીઝમનો શિકાર બન્યો હતો. જેમાં તે હતાશામાં ગરકાવ થઈ ગયો હતો અને આત્મહત્યા કરી હતી. મુંબઈ પોલીસ હાલમાં સુશાંતના મોતની તપાસ કરી રહી છે અને આ મામલે ઘણા લોકોની પૂછપરછ પણ કરવામાં આવી છે.